મહાદેવ મુંડે હત્યા કેસમાં આરોપીઓની 15 દિવસમાં ધરપકડ થવી જોઈએ: ભાજપના વિધાનસભ્ય

છત્રપતિ સંભાજીનગર: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે શુક્રવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 2023માં થયેલા મહાદેવ મુંડે હત્યા કેસના આરોપીઓની 15 દિવસમાં ધરપકડ કરવામાં આવે. જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવનીત કનવટને મળ્યા બાદ અને માગણી ઉઠાવ્યા બાદ ધસ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને તપાસમાં સામેલ ન કરવા જોઈએ કારણ કે તેમના કથિત સંબંધો વાલ્મિક કરાડ સાથે છે, જે મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે સંબંધિત ખંડણી કેસમાં આરોપી અને એનસીપી મંત્રી ધનંજય મુંડેના સહયોગી છે.
Also read: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
22 ઓક્ટોબર, 2023 ના રોજ બીડ જિલ્લામાં પરલી તહસીલ ઓફિસ નજીક મહાદેવ મુંડેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેમના હત્યારાઓ હજુ પણ ફરાર છે, એમ તેમણે જણાવ્યું હતું.