અમેરિકાના આર્મી દિવસ પર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આમંત્રણ
જનરલ મુનીરના આ પ્રવાસને લઈને પાકિસ્તાનની અંદર પણ રાજકીય ઘમાસાણ મચ્યું

લાહોરઃ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરને 14 જૂને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સેનાના 250માં સ્થાપના દિવસમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનીર 12 જૂને અમેરિકા પહોંચશે અને ઐતિહાસિક સૈન્ય સમારોહમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે સામેલ થશે.
યાત્રા દરમિયાન અમરિકા પાકિસ્તાનને અફઘાનિસ્તાન તથા ભારતને નિશાન બનાવનારા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવાનું કહી શકે છે. અમેરિકા અન ચીન વચ્ચે ટ્રેડ વોર વચ્ચે મુનીફ અહીં આવી રહ્યા છે. સૂત્રો મુજબ, આ આમંત્રણ ભારત સામે નહીં પરંતુ પાકિસ્તાનની રણનીતિ અને ચીન સાથે તેનું વધી રહેલું અંતરને જોઈ આપવામાં આવ્યું છે.
ઈમરાન ખાનના પક્ષે મુનીરને ગુનેગાર ગણાવ્યા
જોકે, અમેરિકા હવે પાકિસ્તાનને કોઈ ‘વિશ્વસનીય મધ્યસ્થી’ માનતું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાની નીતિ હજુ પણ ભારત-પાક મુદ્દાઓ પર ત્રીજા પક્ષની મધ્યસ્થીથી દૂર રહેવાની છે. જનરલ મુનીરના આ પ્રવાસને લઈને પાકિસ્તાનની અંદર પણ રાજકીય ઘમાસાણ મચ્યું છે. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફએ મુનીરને ગુનેગાર ગણાવતા તેમના પ્રવાસ વિરુદ્ધ પ્રદર્શનની તૈયારી શરૂ કરી દીધી છે.
પાકિસ્તાનને લાગી રહ્યો છે આ ડર
સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન ચીની દેવાના ડુંગર તળે દબાઈ ગયું છે અને હવે લિથિયમ, તાંબુ, સોનું અને રેયર-અર્થ મિનરલ્સ જેવા સંસાધનો માટે અમેરિકા અને બીજી વૈશ્વિક શક્તિઓ પાસેથી રોકાણની અપેક્ષા રાખી રહ્યું છે. જોકે, પાકિસ્તાનને ચીનની જેમ કોઈ અન્ય વિદેશી શક્તિ તેના સંસાધનો પર કબજો ન જમાવી લે તેવો ડર છે, તેથી તે પોતાની શરતો પર રોકાણ ઈચ્છે છે.
પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનો કરી શકે છે ઉલ્લેખ
આ પ્રવાસમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે અમેરિકા પાસેથી મધ્યસ્થીની માંગ પણ દોહરાવી શકે તેમ માનવામાં આવે છે. જોકે, ભારત પહેલાથી જ કોઈ ત્રીજા પક્ષની ભૂમિકાને સંપૂર્ણપણે નકારી કાઢતું આવ્યું છે, અને અમેરિકા પણ અત્યાર સુધી દ્વિપક્ષીય વાતચીતના પક્ષમાં જ રહ્યું છે.
આ પણ વાંચો…અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ