ઇન્ટરનેશનલ

આગ સાથે રમત રમી રહ્યા છે ટ્રુડો

ખાલિસ્તાન છે પાકિસ્તાનનો પ્રાયોજિત એજન્ડા

ટોરોન્ટોઃ ભારત પર આરોપ લગાવીને ટ્રુડોએ સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે. જે રીતે તેઓ પોતાની નિષ્ફળતા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે જોતા સ્પષ્ટ છે કે તેઓ પોતાની રાજકીય કારકિર્દીને લાઈમલાઈટમાં લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેઓ જાણતા નથી કે તેઓ આગ સાથે રમી રહ્યા છે અને તેમની આ ચાલ બેકફાયર થઈ શકે છે. તેમના ભારત પરના ખોટા અને પાયાવિહોણા આરોપોએ વિશ્વ મંચ પર તેમની છબીને વધુ ખરાબ કરવાનું શરૂ કર્યું છે. તેમની લોકપ્રિયતા ઘટીને માત્ર 33 ટકા રહી ગઇ છે.

પાકિસ્તાન શરૂઆતથી જ આતંકવાદનો ગઢ રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી કેનેડામાં ખાલિસ્તાનીઓ સાથે સતત બેઠકો કરી રહી છે. આ સિવાય ટ્રુડો અને તેમના પિતાએ પણ હંમેશા ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં ખાલિસ્તાનીઓના મામલામાં પાકિસ્તાન અને કેનેડાની મિલીભગતનો ઈન્કાર ન કરી શકાય.


જે ખાલિસ્તાનીઓને જસ્ટિન ટ્રુડો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમનું આશ્રય પાકિસ્તાન છે અને ટ્રુડો પણ આ વાત સારી રીતે જાણે છે. તેનું કારણ એ છે કે પંજાબનો 62 ટકા ભાગ પાકિસ્તાનનો છે, પરંતુ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદીઓ માટે પાકિસ્તાન પર આરોપ નથી લગાવી રહ્યા. આનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ શા માટે પાકિસ્તાનને ઘેરવા માંગતા નથી. તેઓ ભારત પર આરોપ લગાવી રહ્યા છે, કારણ કે ભારતે શરૂઆતથી જ પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે કે તે આતંકવાદની વિરુદ્ધ છે.


તાજેતરમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન કેનેડા, અમેરિકા અને યુકેમાં સ્થિત ખાલિસ્તાનીઓને ભંડોળ મોકલે છે જેથી તેઓ ભારતીય દૂતાવાસને ઘેરી શકે. આ સાબિત કરે છે કે પાકિસ્તાને ખાલિસ્તાનને તેના પ્રાયોજિત એજન્ડા તરીકે રાખ્યો છે. આ સિવાય ટ્રુડો પોતાના દેશમાં ખાલિસ્તાની ગતિવિધિઓને ઘટાડવામાં પણ નિષ્ફળ રહ્યા છે. ભારત સરકારે ઘણી વખત કેનેડિયન પીએમને ખાલિસ્તાન અને ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે, પરંતુ ટ્રુડોએ હંમેશા વૈશ્વિક મંચ પર પોતાની નિષ્ફળતા જાહેર કરવામાં કોઈ કસર છોડી ન હતી.


હવે જ્યારે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર કથિત રીતે ગેંગ વોરને કારણે મૃત્યુ પામ્યો ત્યારે ટ્રુડોએ તેના પર પણ આંસુ વહાવવાનું શરૂ કર્યું છે, જેણે ફરી એક વાર દુનિયાને બતાવી દીધું છે કે તેઓ શાંતિના નહીં પણ આતંકવાદના પક્ષમાં છે. આવી સ્થિતિમાં જસ્ટિન ટ્રૂડોની રાજનીતિ હજી કેટલી નિમ્નસ્તર પર પહોંચે છે એ જાણવું રસપ્રદ થઇ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!