ઇન્ટરનેશનલનેશનલ

હિંદ મહાસાગરમાં ભારત નવી બ્લુ વોટર નેવી ફોર્સનું નિર્માણ કરવામાં આવશે…

નવી દિલ્હી: ભારતમાં હવે ત્રણેય પાંખની સેનાઓ મજબૂત બની રહી છે. દરિયાઈ તાકાત વધારવા માટે બ્લુ વોટર નેવી ફોર્સનું નિર્માણ કર્યું છે. ભારતે હિંદ મહાસાગરમાં ચીનના વધતા ખતરાનો સામનો કરવા માટે આ નેવીનું નિર્માણ કર્યું છે. ભારતીય નૌકાદળે હમણાં જ 68 નૌકાદળના જહાજો કાર્યરત કર્યા છે. તેમજ નવા યુદ્ધ જહાજો માટે ઓર્ડર આપવામાં આવ્યા છે જેની કુલ કિંમત લગભગ 2 લાખ કરોડ રૂપિયા છે.

143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર સાથે 132-યુદ્ધ જહાજો ધરાવતી નૌકાદળ પાસે આઠ નેક્સ્ટ જનરેશન કોર્વેટ, નવ સબમરીન, પાંચ સર્વે જહાજો અને બે મલ્ટી-રોલ જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. યુદ્ધ જહાજોના નિર્માણની ધીમી ગતિ, જૂના જહાજોના ધીમે ધીમે નિકાલ અને બજેટની અવરોધોનો સામનો કરી રહેલા ભારતીય શિપયાર્ડ્સમાં આ મંજૂરીના કારણે 2030 સુધીમાં લગભગ 155-160 યુદ્ધ જહાજો હશે.

જો કે 2035 સુધીમાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજ રાખવાનું લક્ષ્ય છે, ફાઈટર પ્લેન, પ્લેન, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા પણ વધારવામાં આવશે. ત્યારે હાલમાં ચીન તરફથી વધી રહેલા દરિયાઈ ખતરાને પણ અવગણી શકાય નહીં.

ચીન 355 યુદ્ધ જહાજો અને સબમરીન સાથે વિશ્વની સૌથી મોટી નૌકાદળ બનવા માટે ઝડપથી જહાજોનું નિર્માણ પણ કરી રહ્યું છે. ચીનના યુદ્ધ જહાજોની સંખ્યા અંદાજે 555 સુધી પહોંચી શકે છે.

નેવીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચીને છેલ્લા 10 વર્ષમાં 150થી વધુ યુદ્ધ જહાજોનો સમાવેશ કર્યો છે. અંદાજો દર્શાવે છે કે આગામી પાંચ-છ વર્ષમાં તેમની સંખ્યા વધારીને 555 યુદ્ધ જહાજ કરવાની યોજના છે.


ચીનના એરક્રાફ્ટ કેરિયર્સ પણ ત્યાં સુધીમાં હિંદ મહાસાગરમાં ફરવા લાગશે. જ્યારે ભારતીય નૌકાદળને હજુ ત્રીજા એરક્રાફ્ટ કેરિયરના નિર્માણ માટે શરૂઆતી મંજૂરી પણ મળી નથી જ્યારે મંજૂરી મળશે ત્યારબાદ તેના નિર્માણમાં એક દાયકાથી વધુ સમય લાગશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…