ઇન્ટરનેશનલ

ગાઝામાં શાંતિની ગેરંટીની એક માત્ર ગેરંટી….

રિયાધ: સાઉદી અરેબિયાની રાજધાનીમાં આરબ નેતાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિની બેઠકમાં ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી. હવે બીજા દેશોને એવો ડર સતાવી રહ્યો છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. આરબ લીગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (આઈઓસી)ની ઈમરજન્સી મીટીંગ યોજાઇ હતી. જેમાં ઈઝરાયલના અધિકારીઓનું કહેવું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગના નાગરિકો હતા અને 239ને બંધક બનાવ્યા હતા. ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ માર્ચમાં બંને દેશોના સંબંધો સુધર્યા બાદ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ મુલાકાતે જણાવ્યું હતું કે ઈસ્લામિક દેશોએ ગાઝામાં તેના આચરણ માટે ઈઝરાયલી સૈન્યને “આતંકવાદી સંગઠન” તરીકે ગણવામાં આવશે.

ઇઝરાયલના હવાઈ અને જમીની હુમલામાં 11,000 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે નાગરિકો અને મોટી સંખ્યામાં બાળકો હતા. ગલ્ફ સ્ટેટના ડી ફેક્ટો શાસક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શનિવારે સમિટની શરૂઆતમાં કહ્યું હતું કે સાઉદી અરેબિયા જણાવે છે કે તે પેલેસ્ટિનિયન લોકો સામે આચરવામાં આવેલા ગુનાઓ માટે ઇઝરાયલને જવાબદાર માને છે.

પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગાઝા અને કબજે કરેલા પશ્ચિમ કાંઠામાં ઇઝરાયલની કાર્યવાહી અંગે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતાની ખાતરી આપવાનો એકમાત્ર રસ્તો કબજો અને ઘેરાબંધી છે. તેમનું કહેવું છે કે ઇઝરાયલ હમાસને નષ્ટ કરવા માંગે છે. તે હમાસ અને ઇઝરાયલના યુદ્ધમાં થયેલા નિર્દોષ લોકોના મૃત્યુ માટે પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને જવાબદાર માને છે. તેના પર નાગરિકોનો ‘માનવ ઢાલ’ તરીકે ઉપયોગ કરવાનો આરોપ છે. જે આરોપ હમાસ નકારે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?