2025માં આવશે મહાપ્રલય, કાઉન્ટડાઉન શરૂ… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

2025નો જૂન મહિનો ચાલી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાંથી બસ દુર્ઘટના અને દુઃખ પહોંચાડે એવા સમાચાર આવી રહ્યા છે ત્યારે આવનારા જુલાઈ મહિનાને લઈને પણ એક ડરામણી ભવિષ્યવાણી સામે આવી રહી છે. એવી ભવિષ્યવાણી કરાઈ રહી છે કે આવતા મહિને એટલે કે જુલાઈમાં દુનિયાભરમાં તબાહીનો મંજર જોવા મળશે.
શું છે ભવિષ્યવાણી?
જુલાઈ મહિનો આવે એ પહેલાં જાપાન સહિત દુનિયાભરમાં એક અલગ પ્રકારનો ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભયનું કારણ છે એક રહસ્યમયી જાપાની મંગા કલાકાર રયો તત્સુકીની બુકમાં કરાવવામાં આવેલી ચોંકાવનારી ભવિષ્યવાણી. લોકો રયો તત્સલુકીને આજના સમયના બાબા વેંગા તરીકે ઓળખી રહ્યા છે, કારણ કે તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર ભયનો માહોલ
રયો તત્સુકીના પુસ્તકમાં કરવામાં આવેલા દાવા અનુસાર આગામી પાંચ જુલાઈના જાપાનમાં એક મોટી આફત આવશે જેમાં સુનામીના મોજા ત્રણ ગણા કરતાં પણ વધુ ઊંચા ઉછળી શકે છે. જાપાની કલાકારની આ ડરામણી ભવિષ્યવાણીએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. લાખો લોકો એના પર પોસ્ટ અને વીડિયો શેર કરી રહ્યા છે. કેટલાક લોકો સુનામીની આશંકા વ્યક્ત કરાઈ રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે મહાપ્રલય આવશે, જેના મૂળિયા જાપાન, ફિલિપાઈન્સની વચ્ચે સમુદ્રની અંદર કોઈ રહસ્યમયી દરાર સાથે સંકળાયેલા હોઈ શકે છે.
કોણ છે રયો તત્સુકી?
રયો તત્સુકી કોણ છે એની વાત કરીએ તો તે પોતાના ખરાબ સપનાઓના માધ્યમથી ભવિષ્યમાં થનારી ઘટનાની ભવિષ્યવાણી કરે છે. એવું કહેવાય છે કે તેમણે પોતાની પુસ્તકમાં તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને એમાંથી અનેક ભવિષ્યવાણી સાચી થઈ છે. પણ સૌથી વધુ ચર્ચા તો 1999માં કરવામાં આવેલી 2011ના જાપાનના ભુકંપ અને સુનામીની ભવિષ્યવાણીની થઈ રહી છે. આ આ કુદરતી મુસીબતે જાપાનને હચમચાવીને મૂકી દીધા હતા.
પાંચમી જુલાઈના આવશે તબાહી…
હવે પાંચમી જુલાઈને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીને કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જોકે, રયો તત્સુકીએ પોતાના પુસ્તકમાં સ્પષ્ટ નથી કર્યું કે આ મુસીબત શું હશે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ મુસીબત વિનાશક ભૂકંપ કે સુનામીને માની રહ્યા છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ બંને કારણ જ તબાહીનું કારણ બની શકે છે.
ટુરિસ્ટ પણ જાપાનને દૂરથી કરી રહ્યા છે રામ રામ…
રયો તત્સુકીની ભવિષ્યવાણીને કારણે ટુરિસ્ટ જાપાનથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. બ્લુમબર્ગ ઈન્ટેલિજન્સની રિપોર્ટ અનુસાર જાપાન માટે જૂનનો અંત અને જુલાઈની શરૂઆતમાં ફ્લાઈટ બુકિંગમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક ટ્રાવેલ એજન્સીના જણાવ્યા અનુસાર ટુરિસ્ટ ડરને કારણે જાપાનનું નામ પણ નથી લેવા માંગતા. એપ્રિલ-મે મહિનાના સ્પ્રિંગ બ્રેકમાં પણ જાપાનની બુકિંગમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ અને સ્ટોક એક્ષચેન્જ પર હુમલો કર્યો! ઇઝરાયલે ખામેનીની હત્યાની ચેતવણી આપી
અફવાઓ પર ધ્યાન ના આપશો
જાપાને આ તમામ ભવિષ્યવાણીને પાયાવિહોણી ગણાવી છે. મિયાગી પ્રાંતના ગર્વનર યોશિહિરો મુરાઈએ જણાવ્યું હતું કે અફવાઓ પર ભરોસો ના કરો અને બિન્ધાસ્ત જાપાન આવો. આવી અફવાઓથી ટુરિઝમ પર અસર જોવા મળે છે. લોકોએ ડરવાની જરૂર નથીસ કારણ કે જાપાની દેશ છોડીને ક્યાંય નથી જઈ રહ્યા.