ઇન્ટરનેશનલ

ભારત અને ચીન વચ્ચે મેન્ડરિન ભાષાના નિષ્ણાતોની ભર્તી કેમ કરી?

TA એટલે કે ટેરિટોરિયલ આર્મીની સ્થાપના 9 ઓક્ટોબર 1949ના રોજ કરવામાં આવી હતી અને હવે તેનો 75મો સ્થાપના દિવસ છે. આટલા દાયકાઓમાં તેણે યુદ્ધ અને શાંતિના સમયમાં દેશની સેવા કરી છે. આ ઉપરાંત તેણે માનવતાવાદી અને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં પણ યોગદાન આપ્યું છે.

ભારતની ટેરિટોરિયલ આર્મી (TA)એ તેના 75માં રાઇઝિંગ ડે પર મેન્ડરિન ભાષાના નિષ્ણાતોની ભર્તી કરી છે. ટેરિટોરિયલ આર્મીએ યુદ્ધ અને શાંતિના સમયમાં દેશની સેવા કરી છે. પાંચ નિષ્ણાતોનું જૂથ સરહદી કર્મચારીઓની બેઠક દરમિયાન ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે દુભાષિયાની ભૂમિકા પણ ભજવશે.


આ સાથે ટેરિટોરિયલ આર્મી કેટલાક સાયબર સુરક્ષા નિષ્ણાતોની નિમણૂકને લઈને વાતચીત કરી રહી છે અને તે માટે ‘માપદંડ તૈયાર’ કરી લીધા છે. બદલાતા સમય સાથે તાલમેલ જાળવી રાખવા માટે, TAએ આ વર્ષે પાંચ ચાઈનીઝ ભાષા (મેન્ડરિન) નિષ્ણાતોની ભર્તી કરી છે. આ નિષ્ણાતોની નિમણૂકની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં શરૂ થયો હતો, જે થોડા મહિના પહેલા જ પૂર્ણ થયો હતો.

પ્રક્રિયા સખત હતી અને તેમાં મેન્ડરિન ભાષા એટલે કે ભારતીય અને ચીની ભાષા ઉપરાંત સ્થાનિક ભાષામાં નિપુણતા ધરાવતા વિવિધ ઉમેદવારોની લેખિત અને મૌખિક પરીક્ષાઓ સામેલ હતી. નિયુક્ત કરવામાં આવેલા આ નિષ્ણાતોની સરેરાશ ઉંમર 30 વર્ષ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાયુસેના દિવસના અવસર પર એરમેનને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેમની મહાન સેવા અને બલિદાન આપણા આકાશની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારતને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress