ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયન આર્મીનો સીરિયા પર હવાઇ હુમલો, મોટી જાનહાનિના સમાચાર

દમાસ્કસઃ ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે રશિયાએ સીરિયા સામે મોરચો ખોલ્યો છે. રશિયન વાયુસેનાએ સીરિયાના ઇદલિબમાં હવાઈ હુમલામાં લગભગ ત્રણ ડઝન લડવૈયાઓને મારી નાખ્યા છે. મળતી માહિતી મુજબ રશિયાએ સીરિયાના ઇદલિબ ગવર્નરેટને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે.

રશિયન વાયુસેનાના આ હુમલામાં ગેરકાયદેસર સશસ્ત્ર જૂથોના 34 લડવૈયાઓ માર્યા ગયા છે. આ સિવાય આ હુમલામાં 60 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રશિયન એરોસ્પેસ ફોર્સે સીરિયન સરકારી સૈનિકોની જગ્યાઓ પર સાત વખત હુમલો કર્યો છે.

સીરિયન સેનાએ ઇદલિબ અને અલેપ્પો પ્રાંતમાં સરકાર હસ્તકના વિસ્તારો પર હુમલા માટે બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા છે. સીરિયા બળવાખોરો વિશે કહેતું રહ્યું છે કે તેઓ ઈસ્લામિક જેહાદીઓ છે.


આ પહેલીવાર નથી કે જ્યારે રશિયાએ સીરિયાના વિદ્રોહીઓના અડ્ડા પર નિશાન સાધ્યું હોય, આ પહેલા પણ તે ઘણી વખત સીરિયાને નિશાન બનાવી ચૂક્યું છે. આ વર્ષે જૂનમાં રશિયાએ પશ્ચિમી સીરિયા પર હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. રશિયા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું સમર્થન કરે છે.


અસદને બળવાથી બચાવવા માટે રશિયન સેના વર્ષોથી સીરિયામાં પડાવ નાખી રહી છે. સીરિયામાં 2011થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાંના લોકો દેશની સરકારથી નારાજ છે અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સરમુખત્યારશાહી શાસન હેઠળ રહેવાનો ઇનકાર કરે છે.

વિપક્ષી બળવાખોર જૂથનું કહેવું છે કે રશિયા અને સીરિયા બંને ગાઝા સંઘર્ષને લઈને વિશ્વની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેના પ્રદેશ પર હુમલા વધારી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…