ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનો પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓનો વિરોધ, પરત લેવા માંગ

કરાંચી : ઇરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના ઇરાન પરના હુમલાથી પાકિસ્તાન દુવિધામાં મુકાયું છે.પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. જેમાં વિપક્ષી પાર્ટીઓએ પાકિસ્તાન સરકારને ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર કરેલું નોમીનેશન પરત લેવા દબાણ બનાવ્યું છે.

પાકિસ્તાન સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી

જ્યારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો બદલ પાકિસ્તાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. જ્યારે બીજા જ દિવસે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા પછી પાકિસ્તાનના અનેક નેતાઓ અને પ્રતિષ્ઠિત લોકોએ નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરવાના પાકિસ્તાન સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

યુદ્ધ સમાપ્ત કરવાનો ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો

પાકિસ્તાનના અગ્રણી અખબાર અહેવાલ આપ્યો છે કે દેશના ઘણા મોટા નેતાઓએ તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને સરકારને તેના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F) ના વડા, વરિષ્ઠ રાજકારણી મૌલાના ફઝલુર રહેમાને માંગ કરી છે કે સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચે. રવિવારે મુરીમાં પાર્ટીની બેઠકમાં ફઝલે કાર્યકરોને કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાંતિનો દાવો ખોટો સાબિત થયો છે. નોબેલ પુરસ્કારનો પ્રસ્તાવ પાછો ખેંચવો જોઈએ.

તેમણે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પર નિશાન સાધતા કહ્યું કે ‘પાકિસ્તાની શાસકો ટ્રમ્પ સાથેની મુલાકાત અને લંચથી એટલા ખુશ થયા કે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવાની ભલામણ કરી.

ઈરાન પર ઇઝરાયલી હુમલાઓને સમર્થન આપ્યું

ફઝલે પ્રશ્ન કર્યો, ટ્રમ્પે પેલેસ્ટાઇન, સીરિયા, લેબનોન અને ઈરાન પર ઇઝરાયલી હુમલાઓને સમર્થન આપ્યું છે. આ શાંતિનો સંકેત કેવી રીતે હોઈ શકે? જ્યારે અમેરિકાના હાથ પર અફઘાન અને પેલેસ્ટિનિયનોનું લોહી છે ત્યારે તે શાંતિનો સમર્થક હોવાનો દાવો કેવી રીતે કરી શકે?’ ટ્રમ્પે પોતાને એક શાંતિ સ્થાપક તરીકે પ્રમોટ કરવા હોત તો યુક્રેન અને ગાઝામાં યુદ્ધોનો ટૂંક સમયમાં અંત લાવવા માટે પોતાની વાટાઘાટો કુશળતાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમના રાષ્ટ્રપતિ બન્યાના પાંચ મહિના પછી પણ બંને સંઘર્ષો ચાલુ છે.

આ પણ વાંચો -‏‏‎ ઇરાનનું મોટું નિવેદન, ઇરાની સેના અમેરિકાને જવાબ આપવા રણનીતિ નક્કી કરશે

ટ્રમ્પ હવે અમેરિકાના પતનનું નેતૃત્વ કરશે

ભૂતપૂર્વ પાકિસ્તાની સેનેટર મુશાહિદ હુસૈને X પર લખ્યું, ટ્રમ્પ શાંતિ સ્થાપક નથી પરંતુ એક નેતા છે જેણે જાણી જોઈને બિનજરૂરી યુદ્ધ ચલાવ્યું છે. તેથી પાકિસ્તાન સરકારે હવે તેમના નોબેલ નામાંકનની સમીક્ષા કરવી જોઈએ અને તેને રદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ટ્રમ્પ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇઝરાયલી યુદ્ધ લોબીના ગાળિયામાં ફસાઈ ગયા છે, અને તેમણે તેમના રાષ્ટ્રપતિપદની સૌથી મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું, ટ્રમ્પ હવે અમેરિકાના પતનનું નેતૃત્વ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button