ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની અદાલતે ચૂંટણી પરિણામોને પડકારતી ૩૦થી વધુ અરજી ફગાવી, જાણો કેમ?

લાહોર: પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ સહિતના ટોચના પીએમએલ-એન નેતાઓની જીતને પડકારનારા સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી ૩૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી.

લાહોર હાઈકોર્ટે અરજીઓ ફગાવી દેતા પરાજય પામેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી સમર્થિત ઉમેદવારોને મતોની કથિત ગેરરીતિ સહિતની તેમની ફરિયાદોના નિવારણ માટે ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન પાસે જવા જણાવ્યું હતું.

નવાઝ શરીફ સામે ચૂંટણી લડનાર અને લાહોરની એનએ-૧૩૦ સીટ પર જીતનો દાવો કરનાર પીટીઆઈના ડૉ. યાસ્મીન રશીદે ઉત્તરદાતાઓની જીતને એ આધાર પર “છેતરપીંડી” ગણાવી કે સંબંધિત રિટર્નિંગ ઓફિસરો (આરઓ) એ પરિણામોને એકીકૃત કર્યા હતા અને ફોર્મ 47 (પરિણામ-પત્રક) તેમની ગેરહાજરીમાં તૈયાર કર્યું હતું. જે સત્તાનો ગેરકાયદેસર ઉપયોગ છે.
લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ અલી બકર નજફી, જેમણે અરજીઓની ક્ષમતા પર સુનાવણી કરી હતી અને કહ્યું હતું કે: “સુપ્રીમ કોર્ટે અન્ય એક કેસમાં સ્પષ્ટપણે ચુકાદો આપ્યો હતો કે હાઈકોર્ટના અસાધારણ અધિકારક્ષેત્રને હાઈકોર્ટના સામાન્ય અધિકારક્ષેત્રમાં ઘટાડી શકાય નહીં.

તેમણે ચુકાદો આપ્યો હતો કે “જો ત્યાં કોઈ સામાન્ય ઉપાય ઉપલબ્ધ ન હોય, તો બંધારણીય અધિકારક્ષેત્રના અસાધારણ ઉપાયનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે અરજદારોને તેમની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણી પંચમાં જવાનો નિર્દેશ કરી હતી અને અરજીઓને ફગાવી દીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…