ઈરાનના પરમાણુ હુમલાના દાવાને પાકિસ્તાને નકાર્યો, કહી આ વાત
પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, અમે ઈરાનની સાથે ઊભા છીએ

તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ ઈરાન પર હુમલો કર્યો હતો. આઈએએફના સૈનિકોએ ઈરાનના હવામાં મિસાઈલ લોન્ચ કરતાં સૈનિકોની ઓળખ કરીને એર સ્ટ્રાઈકમાં ખાતમો કર્યો હતો. આ દરમિયાન ઈરાનના એક ટોચના અધિકારીએ દાવો કર્યો કે જો ઈરાન પર હુમલો થયો તો પાકિસ્તાન ઈઝરાયલ પર પરમાણુ હુમલો કરશે. જોકે થોડી જ વારમાં પાકિસ્તાને આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું કે, આવું કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી.
પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે ઈરાનના દાવાને ફગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઈસ્લામાબાદના ઈઝરાયલ સામે પરમાણુ હુમલાની કોઈ વાત નથી કરી. ઈરાનના પૂર્વ રાજદૂત અને વરિષ્ઠ સલાહકાર કમરાની ફરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ઈરાન પર હુમલો થયો તો પાકિસ્તાન ઈઝરાયલ પર પરમાણુ હુમલો કરશે, આ વાત સ્પષ્ટ કરવામાં આવશે.
પાકિસ્તાનના રક્ષા પ્રધાને શું કહ્યું
પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે, તમામ મુસ્લિમ દેશોએ ઈઝરાયલની આક્રમકતા સામે એકજૂથ થવું જોઈએ. આસિફે કહ્યું હતું, સંકટના આ સમયમાં ઈરાન સાથે ઉભા છીએ. ઈરાન અમારો ભાઈ સમાન છે, અમે ઈરાનના હિતોની રક્ષા કરીશું.
મુસ્લિમ દેશોમાં એકતા મહત્ત્વપૂર્ણ
આસિફે કહ્યું હતું કે, ઈઝરાયલ નહીં માત્ર ઈરાન, પરંતુ યમન અને પેલેસ્ટાઈનને પણ નિશાન બનાવી રહ્યું છે. મુસ્લિમ દેશોમાં એકતા મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, જો અમે આજે ચૂપ અને એકજૂથ નહીં રહીએ તો તમામને નિશાન બનાવવામાં આવશે.
આ પણ વાંચો…ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના દીકરાના લગ્ન મુલતવી!