ઇરાન ઈઝરાયલ યુદ્ધ વિરામ બાદ નેતન્યાહૂની ઇરાનને આપી ચીમકી

તેલ અવીવ : ઇરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપથી સમાપ્ત થયું છે. જેની બાદ ઇરાને તેનું એર સ્પેસ ખોલ્યું છે. તેમજ ઈઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો પણ દૂર કરી દીધા છે. જોકે, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે, જો કોઈ ઈરાનમાં પરમાણુ કાર્યક્રમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે તો અમે તેને ફરીથી નષ્ટ કરીશું. આ અમારો દૃઢ નિર્ધાર છે.
ઈરાન યુદ્ધ વિરામનો ભંગ કરશે તો જડબાતોડ જવાબ અપાશે
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો દાવો કર્યો છે કે ઇઝરાયલે ઈરાનને 50 વર્ષમાં સૌથી વિનાશક આંચકો આપ્યો હતો. જેમાં સેંકડો ઈરાની પરમાણુ સ્થળ અને કમાન્ડરોનો ખાતમો બોલાયો છે. તેમણે વધુમાં કહ્યું જો ઈરાન યુદ્ધ વિરામનો ભંગ કરશે તો જડબાતોડ જવાબ આપશે
અમેરિકાએ ઈઝરાયલને સાથ આપ્યો
જેમાં 12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં, પહેલીવાર ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધી અથડામણ થઈ. બંને દેશોએ મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ દ્વારા એકબીજા પર હુમલો કર્યો. અમેરિકાએ ઈઝરાયલનો સાથ આપ્યો અને ઈરાનના મુખ્ય પરમાણુ મથકોનો નાશ કર્યો.
આ પણ વાંચો…યુદ્ધવિરામ ભંગ થતા ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પર ભડક્યા! કહ્યું: ‘પાઇલટ્સને પાછા બોલાવો!’