આ કારણે પાડોશી દેશ પાકિસ્તાન સામે Naseeruddin Shahએ કરી લાલ આંખ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલમનોરંજન

આ કારણે પાડોશી દેશ પાકિસ્તાન સામે Naseeruddin Shahએ કરી લાલ આંખ

ઘણા બોલીવૂડ સિતારાઓએ પુસ્તકો લખ્યા છે. પીઢ બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહનું પુસ્તક એન્ડ ધેન વન ડે: અ મેમોયર આ બધામાં ખાસ હોવાનું પણ કહેવાય છે. આ પુસ્તકના વિમોચન માટે અભિનેતા પાકિસ્તાન પણ ગયા હતા, પરંતુ હવે પાકિસ્તાન જ તેમની સમસ્યાનું કારણ બન્યું છે. અભિનેતાએ ખુદ પોતાના પુસ્તકને લઈને એક સમસ્યા શેર કરી છે. અને તેમની મુશ્કેલીનું કારણ પડોશી દેશ પાકિસ્તાન છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા નસીરુદ્દીન શાહે કહ્યું છે કે પાકિસ્તાનમાં તેમના પુસ્તકનું ગેરકાયદે ઉર્દૂ અનુવાદ સાથે વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ મામલે કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છે.

73 વર્ષના નસીરુદ્દીને સોશિયલ મીડિયા પર તેમના પુસ્તકને લઈને પાકિસ્તાનમાં ચાલી રહેલી છેતરામણી વિશે માહિતી આપી હતી. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મારા પુસ્તકનો ઉર્દૂ અનુવાદ પાકિસ્તાનમાં વેચાઈ રહ્યાનું મને જાણવા મળ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારે આ અનુવાદ સાથે કોઈ લેવાદેવા નથી અને હું તેના વેચાણને રોકવા માટે કાનૂની પગલાં લેવા માગું છું. હું ત્યાંના મારા મિત્રોને આ પુસ્તક ન ખરીદવા પણ વિનંતી કરું છું.

ફેબ્રુઆરી 2015માં નસીરુદ્દીન શાહ પોતાના પુસ્તકના પ્રચાર માટે પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાન પ્રવાસમાંથી પરત આવ્યા બાદ તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકો મને ખૂબ પ્રેમ કરે છે. તે શાહરૂખ ખાન અને સલમાન જેવા આપણા સ્ટાર્સ માટે પાગલ છે. પરંતુ મને પાકિસ્તાનમાં મારા માટે અને મારા જેવા કલાકારો, ઓમ પુરી અને ફારૂક શેખ માટે સન્માનપૂર્વકનો પ્રેમ જોવા મળ્યો. મને પાકિસ્તાનમાં ખૂબ જ ખાસ લાગે છે.

Naseeruddin Shah જોકે ઘણીવાર વિવાદોમાં સપડાયા છે. થોડા દિવસો પહેલા એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલા લોકો પર ભડકયા હતા. જોકે હજુ તેઓ સક્રિય છે અને ફિલ્મો અને વેબ સિરિઝ કરી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button