ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

જાણો .. કોણ છે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ, ગીતા પર હાથ મૂકી લીધા શપથ

ટોરન્ટો: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં પણ ભારતીય મૂળના અનિતા આનંદનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેનેડાના પીએમ માર્ક કાર્નેએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો. આ અંતર્ગત ભારતીય મૂળની અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતીય મૂળના અનિતા આનંદ જસ્ટિન ટ્રુડો સરકારમાં પણ મંત્રી હતા.

પીએમ માર્ક કાર્નેએ મેલાની જોલીના સ્થાને અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. જોલી હવે ઉદ્યોગ મંત્રી બનશે. અનિતા આનંદ અગાઉ સંરક્ષણ મંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે

ગીતા પર હાથ મૂકીને શપથ લીધા

કેનેડા વિદેશ મંત્રી બનેલા અનિતા આનંદ કેનેડાના પ્રથમ હિન્દુ મહિલા સાંસદ અને કેબિનેટ મંત્રી છે. તેમણે ગીતા પર હાથ મૂકીને મંત્રી પદના શપથ લીધા હતા. જેના લીધે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોના તણાવને દૂર કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહે તેવી શક્યતા છે. અનિતા આનંદનો જન્મ ભલે ભારતમાં ન થયો હોય પરંતુ તેમનું ભારત સાથે એક જોડાણ છે.

અનિતા આનંદ ભારતીય મૂળના છે

અનિતા આનંદ ભારતીય મૂળના છે. તેમના પિતા તમિલનાડુના છે જ્યારે માતા પંજાબની છે. પરંતુ પાછળથી તેના માતા-પિતા કેનેડામાં જઈને સ્થાયી થયા. તેમણે ગીતા પર હાથ રાખીને વિદેશ મંત્રી તરીકે શપથ લીધા.અનિતા આનંદ ટ્રુડો સરકારમાં પરિવહન અને વેપાર મંત્રી પણ રહી ચૂકયા છે. અનિતા આનંદનો જન્મ વર્ષ 1967માં નોવા સ્કોટીયામાં થયો હતો. તેમના માતા-પિતા બંને ડોક્ટર છે. અનિતા ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર રહી ચૂક્યા છે.

આપણ વાંચો:  ચૂંટણી પહેલા મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં બીજા મેયર ઉમેદવારની હત્યા…

વર્ષ 2019માં ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

તેઓ પ્રથમ વાર વર્ષ 2019માં ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વર્ષ 2021 થી 2023 સુધી રક્ષા પ્રધાન અને વર્ષ 2023 થી 2024 સુધી ટ્રેઝરી બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમણે વર્ષ 2025ની ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખી અને માર્ક કાર્નીની લઘુમતી સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા તે વ્યવસાયે વકીલ અને પ્રોફેસર હતા.

ભારત-કેનેડા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે કામ કર્યું

અનિતાએ વારંવાર પોતાના ભારતીય વારસાનો સ્વીકાર કર્યો છે. તેમણે પ્રવાસી ભારતીય દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોએ ભારત સાથેના પોતાના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. કેનેડાના રક્ષા પ્રધાન તરીકે તેમણે ભારત-કેનેડા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે કામ કર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button