ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ઈરાનને ધમકી આપી, ખામેનીના સદ્દામ જેવા હાલ થશે

તેલ અવીવ/તહેરાનઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપતા કહ્યું છે કે તેમનો પણ સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવો જ અંત આવશે. તેમજ, ઇઝરાયલે તહેરાનના લોકોને તેમના ઘરો ખાલી કરવાની સૂચના આપી છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે તેઓ ઇરાન પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

ઈઝરાયલ સામે યુદ્ધ કરનાર ઈરાકી સરમુખત્યાર સાથે શું થયું હતું?

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝેએ એક નિવેદન બહાર પાડ્યું અને ઈરાન પર ઇઝરાયલી નાગરિકો પર હુમલો કરવાનો અને યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો. તેમણે અયાતુલ્લાહ અલી ખામેનીને સરમુખત્યાર પણ ગણાવ્યા હતા. કાત્ઝે ઈરાનને ચેતવણી આપી હતી કે તેણે યાદ રાખવું જોઈએ કે ઈઝરાયલ સામે યુદ્ધ કરનાર ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈન સાથે શું થયું હતું.

ઇઝરાયલ સરકારી અને લશ્કરી જગ્યાઓ પર હુમલો કરે રાખશે

ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ઇરાની નાગરિકોને IDF પ્રવક્તા દ્વારા ફારસી ભાષામાં આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને પોતાનો જીવ જોખમમાં ન નાખવા અને વિસ્તારો ખાલી કરવા હાકલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયલ આજે પણ તહેરાનમાં સરકારી અને લશ્કરી જગ્યાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

ઇઝરાયલ ઇચ્છે છે કે ઇરાનમાં વર્તમાન સરકારને હટાવે
પશ્ચિમી દેશોએ ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈન પર સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો હતો અને પછી સરકારને ઉથલાવીને સરકાર સ્થાપિત કરી હતી. સદ્દામ હુસૈનને પણ ફાંસી આપવામાં આવી હતી. એ જ રીતે, ઇઝરાયલ ઇચ્છે છે કે ઇરાનમાં વર્તમાન સરકારને હટાવીને એક નવી સરકાર સ્થાપિત કરવામાં આવે. એટલા માટે ઇઝરાયલ હંમેશા ઇરાનમાં શાસન પરિવર્તનની વાત કરે છે.

સદ્દામ હુસૈન પર હજારો લોકોની હત્યા કરવાનો હતો આરોપ

ઇરાનના સરમુખત્યાર સદ્દામ હુસૈન પર અલગ અલગ ઘટનાઓમાં હજારો લોકોની હત્યાનો આરોપ હતો, પરંતુ જે મામલે એમને ફાંસી આપવામાં આવી તે 1982માં દૂજૈલ નરસંહારમાં 148 શિયા મુસલમાનોની હત્યાનો આરોપ સાબિત થયો હતો. અમેરિકી નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા 2003માં સત્તા પરથી બરતરફ કર્યા બાદ એમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો -‏‏‎ Iran Vs Israel: ઈરાને મોસાદના હેડ ક્વાર્ટર પર કર્યો હુમલો

ઈદના દિવસે બગદાદમાં સૈન્ય છાવણીમાં ફાંસી આપી હતી

2006માં ઈરાનની વિશેષ અદાલતે એમને ફાંસીની સજા સંભળાવી હતી. 30 સપ્ટેમ્બર 2006ના ઈદના દિવસે બગદાદમાં સૈન્ય છાવણીમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. ફાંસીનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button