ઇન્ટરનેશનલ

ઇઝરાયલનો ઈરાન પર 50 થી વધુ ફાઈટર જેટથી હુમલો: સંરક્ષણ કેન્દ્રોને નુકશાનની ભીતિ…

તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર હુમલો કરવાની એક પણ તક છોડતા નથી. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હતું. જે બાદ ઈઝરાયલની સેનાએ ગુપ્ત જાણકારીના આધારે 50થી વધારે લડાકુ વિમાનો દ્વારા ઈરાનના સુરક્ષા દળો અને ઈરાની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ સંબંધિત મુખ્ય કમાન્ડો સેન્ટર અને સંપત્તિ પર હુમલા કર્યા હતા.

આઈડીએફે જણાવ્યું કે, આ હુમલા ઈરાની શાસનની સૈન્ય ક્ષમતાને નુકસાન પહોંચાડવા માટે તહેરાન વિસ્તારમાં ઈરાનના સૈન્ય મુખ્યાલય, મિસાઈલ અને રડાર પ્રોડક્શન સાઈટ તથા મિસાઈલ સ્ટોરેજને નિશાન બનાવવામાં આવ્યા હતા. આઈડીએફએ કહ્યું, ઈરાનના અનેક સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં થરલ્લાહ હેડ ક્વાર્ટર પણ સામેલ છે. જ રિવોલ્યૂશનરી ગાર્ડ્સનું જનરલ હેડ ક્વાર્ટર છે. આ ઉપરાંત ઈઝારયલના લડાકુ વિમાનોએ સૈયદ અલ શહાદા બ્રિગેડ પર પણ બોંબમારો કર્યો હતો.

https://twitter.com/IDF/status/1937121887852609823

આઈડીએફે કહ્યું, ઈઝરાયલની સુરક્ષા માટે તેઓ ઈરાન પર હુમલા કરશે. હુમલા અંતર્ગત આઈઆરજીસીએ કેન્દ્રીય શસ્ત્ર ઠેકાણા પૈકીના એક બસીઝ હેડ ક્વાર્ટરને પણ નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં અલ્બોરેઝ કોરને પણ નુકસાન પહોંચ્યું હતું.

આડીએફે દાવો કર્યો કે, તેમની એરફોર્સે પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ઈરાનમાં છ અડ્ડા પર હુમલો કર્યો હતો. જેમાં રન વે, અંડર ગ્રાઉન્ડ હેંગર, ઈંધણ ભરેલા વિમાન, એફ-14, એફ-5 અને એએચ-1 વિમાન નાશ પામ્યા હતા.

આપણ વાંચો : ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના નિર્ણયની ભારતને થશે શું અસર, જાણો વિગતે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button