ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાકે એરસ્પેસ બંધ કરી, કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી

બગદાદ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ધ્યાનમાં રાખીને ઈરાકે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. જેના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી છે. કતાર એરવેઝે કહ્યું, અમે આનાથી પ્રભાવિત મુસાફરોને મદદ કરવા માટે સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ અને જ્યારે એરસ્પેસ ખુલશે ત્યારે કામગીરી ફરી શરૂ કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી
આ દરમિયાન, ઇરાને કતારમાં અમેરિકાના એરબેસ પર કરેલા મિસાઇલ હુમલા બાદ મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત અંગે ઈરાન કે ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો આ પ્રસ્તાવિત યુદ્ધવિરામ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી શકે છે.
ઇરાને આ યુદ્ધવિરામની જાહેરાતને ખોટી ગણાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, ઇરાને આ યુદ્ધવિરામની જાહેરાતને ખોટી ગણાવી છે. તેમજ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો…:ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી