ઇન્ટરનેશનલ

ઇરાને ઈઝરાયલ પર કર્યા મિસાઇલ હુમલા, ઈઝરાયલે નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું

તેલ અવીવ : ઈરાનના તાજેતરના બેલિસ્ટિક મિસાઈલ હુમલા વચ્ચે મધ્ય ઈઝરાયલ જેરુસલેમ પ્રદેશ અને દક્ષિણ ઈઝરાયલના કેટલાક ભાગોમાં સાયરન વાગી રહી છે. જે વિસ્તારોમાં સાયરન વાગી રહી છે ત્યાંના નાગરિકોને આગામી સૂચના સુધી બોમ્બ શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આના થોડા સમય પૂર્વે લેબનોન સરહદ પરના વિસ્તારમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તેમજ હુમલાથી બચવા માટે આશ્રય સ્થાનોમાં જવા કહેવામાં આવ્યું છે.

ઈઝરાયલે લોકોને અપીલ કરી

ઈઝરાયલની સેનાનું કહેવું છે કે ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલ છોડી છે અને લોકોને ચેતવણી મળતાં જ તાત્કાલિક આશ્રય સ્થળોમાં જવા અપીલ કરી છે. એર ડિફેન્સ સિસ્ટમ ખતરાને રોકવા માટે કામ કરી રહી છે.

નેતન્યાહુએ કહ્યું અમે લક્ષ્યોનું ખૂબ નજીક

મીડીયા અહેવાલ મુજબ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું કે ઇઝરાયલ ઇરાનમાં તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખૂબ નજીક છે. કારણ કે અમારી સેનાએ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અને પરમાણુ સુવિધાઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયલના ઉદ્દેશો પ્રાપ્ત કર્યા બાદ જ હુમલા બંધ થશે.

આ પણ વાંચો…ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button