ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને ઈરાન ખોટો ગણાવ્યો, વિદેશ મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

તહેરાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, ઇરાને આ યુદ્ધવિરામની જાહેરાતને ખોટી ગણાવી છે. તેમજ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
સશસ્ત્ર દળો લોહીના છેલ્લા ટીપા સુધી રક્ષણ કરવા તૈયાર
તેમણે કહ્યું કે ઈઝરાયલને તેના હુમલાની સજા આપવા માટે અમારા સશસ્ત્ર દળોનું લશ્કરી ઓપરેશન સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યું. હું બધા ઈરાનીઓ સાથે બહાદુર સશસ્ત્ર દળોનો આભાર માનું છું જેઓ લોહીના છેલ્લા ટીપા સુધી દેશનું રક્ષણ કરવા તૈયાર છે. જેમણે છેલ્લી ઘડી સુધી દુશ્મનના કોઈપણ હુમલાનો જવાબ આપ્યો છે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, તેમ છતાં વિસ્ફોટોના અવાજ હજુ પણ સંભળાઈ રહ્યા છે.
ઇરાને કતારમાં અમેરિકાને એરબેસ પર હુમલો કર્યો
જોકે, મોડી રાત્રે ઇરાને કતારમાં અમેરિકાને એરબેસ પર હુમલો કર્યો હતો. ત્યારે વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું કે અમેરિકાને પહેલાથી જ શંકા હતી કે ઈરાન હુમલો કરી શકે છે. કતારના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અમેરિકન એરપોર્ટ પર ઈરાની મિસાઇલ હુમલો અટકાવ્યો. જો જરૂર પડે તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લશ્કરી કાર્યવાહી માટે તૈયાર છે.
આ પણ વાંચો…ઈરાની કમાન્ડરની હત્યામાં પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરનું કનેક્શન: રિપોર્ટમાં ખુલાસો