ઇન્ટરનેશનલ

ઈરાનનો અમેરિકા પર મોટો આક્ષેપ, કહ્યું અમેરિકાની સંમતિ વિના ઇઝરાયલનો હુમલો અશક્ય

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ કરારની સમજૂતી વચ્ચે ઇઝરાયલે ઈરાન પણ હવાઈ હુમલા કર્યા છે. જેમાં ઈરાનને મોટા પાયે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ અંગે અમેરિકાએ આ હુમલા તેની કોઇ ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા કરી છે. તો બીજી તરફ આ હુમલામાં બાદ આક્રોશમાં આવેલા ઈરાને અમેરિકા પર પ્રહાર કર્યો છે. તેમજ કહ્યું છે કે અમેરિકાની સંમતિ અને સહયોગ વિના આવી આક્રમક કાર્યવાહી શક્ય નહોતી.

ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો

ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 2 (4) નું સીધું ઉલ્લંઘન છે અને તેને આ હુમલાનો જવાબ આપવાનો કલમ 51 હેઠળ સંપૂર્ણ અધિકાર છે. આ ઉપરાંત, ઈરાને યુએન સુરક્ષા પરિષદ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ સાથે, ઈરાને યુએસ સરકાર પર પણ મોટો આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાની સંમતિ અને સહયોગ વિના આવી આક્રમક કાર્યવાહી શક્ય નહોતી. આવી સ્થિતિમાં તેના ખતરનાક પરિણામો માટે અમેરિકા પણ જવાબદાર રહેશે.

તમામ રાષ્ટ્રોને આ ક્રૂરતાની નિંદા કરવા ઈરાનની અપીલ

ઈરાને વિશ્વભરના ઇસ્લામિક દેશો, બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સભ્ય દેશો અને વૈશ્વિક શાંતિમાં વિશ્વાસ રાખનારા તમામ રાષ્ટ્રોને આ ક્રૂરતાની નિંદા કરવા અને સાથે મળીને તેનો સામનો કરવા અપીલ કરી છે. કારણ કે આ ફક્ત ઈરાન પર હુમલો નથી, પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વની શાંતિ માટે ખતરોનો સંકેત છે.

અમેરિકા ઈરાન સામેના હુમલામાં સામેલ નથી

વ્હાઇટ હાઉસથી જાહેર કરાયેલા એક નિવેદનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું, ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ એકપક્ષીય કાર્યવાહી કરી છે. અમે કોઈપણ રીતે ઈરાન સામેના હુમલામાં સામેલ નથી અને અમારી પ્રાથમિકતા ફક્ત પ્રદેશમાં યુએસ સેનાનું રક્ષણ કરવાની છે. ઇઝરાયલે અમને કહ્યું કે આ કાર્યવાહી તેમના સ્વ-બચાવ માટે જરૂરી હતી. રાષ્ટ્રપતિ અને વહીવટીતંત્રે સેનાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લીધાં છે.

આ પણ વાંચો -‏‏‎ ઇઝરાયેલના ઈરાન પરના હુમલામાં સશસ્ત્ર દળોના ચીફ મોહમ્મદ બઘેરીનું મોત

ઈરાને ઈઝરાયલ તરફ 100 ડ્રોન પણ છોડ્યા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 200 થી વધુ ઇઝરાયલી ફાઇટર જેટ્સે ઈરાનમાં લગભગ 100 સ્થળોએ વિનાશ મચાવ્યો હતો. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકો નાશ પામ્યા હતા. આ હુમલામાં તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ અને ચીફ ઓફ સ્ટાફ પણ માર્યા ગયા હતા. પરમાણુ કેન્દ્રમાં કામ કરતા ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો પણ ઈઝરાયલના હુમલાનો ભોગ બન્યા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની ઈઝરાયલના આ હુમલાથી ગુસ્સે છે અને તેમણે ધમકી આપી છે કે ઈઝરાયલને ઘાતક પરિણામો ભોગવવા પડશે. જ્યારે ઈરાને ઈઝરાયલ તરફ 100 ડ્રોન પણ છોડ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button