ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર…

નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ ઈરાનમાંથી બહાર કાઢવામાં આવી રહેલા ભારતીયો માટે 24 કલાક પોતાની સેવાઓ પૂરી પાડશે.
સરકારે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા
સરકાર દ્વારા આ માટે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. તમે સરકાર પાસેથી તમારા પ્રિયજનો વિશે માહિતી મેઇલ દ્વારા પણ મેળવી શકો છો. આ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે.
1800118797 (ટોલ ફ્રી)
+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905
+91-9968291988 (વોટ્સએપ)
situationroom@mea.gov.in (ઇ-મેઇલ આઈડી)
આ ઉપરાંત ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે નીચે આપેલ સંપર્ક વિગતો સાથે ચોવીસ કલાક ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે.
ફક્ત કૉલ્સ માટે:
+98 9128109115
+98 9128109109
વોટ્સએપ માટે:
+98 901044557
+98 9015993320
+91 8086871709
બંદર અબ્બાસ:
+98 9177699036
ઝાહેદાન:
+98 9396356649
cons.tehran@mea.gov.in (ઇ-મેઇલ આઈડી)
ભારતીયોને આર્મેનિયા મોકલવામાં આવ્યા
ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે. પ્રથમ બેચમાં સોમવારે રાત્રે 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા છે. નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ આ પગલું શક્ય બન્યું છે.
આપણ વાંચો : યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતીયો સલામતી અંગે ચિંતા; દૂતાવાસે નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા…