શાંગરી-લા સંવાદમાં ભારતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા, કહ્યું ઓપરેશન સિંદૂર એક બોધપાઠ

સિંગાપોર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે સિંગાપોરમાં શાંગરી-લા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનના ટોચના લશ્કરી વડાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શાંગરી-લા સંવાદ એશિયાના મુખ્ય સંરક્ષણ મંચ તરીકે ઓળખાય છે. શુક્રવારથી રવિવાર સુધી યોજાયેલી ટોચની વૈશ્વિક સંરક્ષણ મંચની બેઠકમાં બંને પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોને દોષી ઠેરવ્યા
એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલા માટે ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોને દોષી ઠેરવ્યા હતા. જ્યારે પાકિસ્તાને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાન ભૌગોલિક રીતે એકબીજાની બાજુમાં હોવાથી, શનિવારે બપોરે શાંગરી-લા સંવાદ દરમિયાન બંને દેશોના કેટલાક ટોચના જનરલો પડોશી કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા અને સંરક્ષણ નવીનતા ઉકેલોથી લઈને પ્રાદેશિક કટોકટી-વ્યવસ્થાપન પદ્ધતિઓ સુધીના વિષયો પર એક સાથે સત્રોમાં ભાગ લીધો હતો.
ભારતની સહનશીલતાની મર્યાદા
ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું કે ભારતે રાજકીય રીતે જે કર્યું છે તેનાથી આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ પ્રકાશમાં આવી છે. જનરલ ચૌહાણે કહ્યું કે મને આશા છે કે ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર વિરોધીઓ માટે પણ એક પાઠ છે. આશા છે કે તેઓ શીખશે કે આ ભારતની સહનશીલતાની મર્યાદા છે. તેમણે કહ્યું કે આપણે લગભગ બે દાયકાથી આ પ્રોક્સી વોરનો સામનો કરી રહ્યા છીએ અને અનેક લોકોને ગુમાવ્યા છે. અમે તેનો અંત લાવવા માંગીએ છીએ.
સરહદો અપ્રસ્તુત બની જશે
પાકિસ્તાન સશસ્ત્ર દળોના સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ ચેતવણી આપી હતી કે જો ફરીથી સંઘર્ષ ફાટી નીકળે તો શું થઈ શકે છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે જો આવો સંઘર્ષ ફરીથી થાય અને શહેરોને નિશાન બનાવવામાં આવશે તો સરહદો અપ્રસ્તુત બની જશે. તેમજ પરિસ્થિતિ ખતરનાક સ્તરે પહોંચી શકે છે.તેમણે કહ્યું કે એવી શક્યતા છે કે મર્યાદિત સમય ગાળાને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય હસ્તક્ષેપ કરે તે પહેલાં જ નુકસાન અને વિનાશ થઈ ગયો હશે.
આપણ વાંચો: ફ્રી પેલેસ્ટાઇનના નારા સાથે વ્યક્તિએ અમેરિકાના કોલોરાડોમાં પેટ્રોલ બોંબ ફેંક્યો, છ લોકો દાઝ્યા
પહલગામમાં આતંકવાદી હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં નવ આતંકવાદી કેમ્પોનો તબાહ કરવા માટે 7 મેની સવારે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની હુમલાઓ પછીની તમામ બદલો લેવાની કાર્યવાહી આ ઓપરેશન હેઠળ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસીય લશ્કરી સંઘર્ષ 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી યુદ્ધ વિરામ બાદ અટકાવવામાં આવી છે.