ઇન્ટરનેશનલમનોરંજન

ફિલ્મ નિર્માતાના પરિવારની પાકિસ્તાનમાં ગેરકાયદે અટકાયત

વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલયને હાઈકોર્ટનું કહેણ

મુંબઈ: ફિલ્મ નિર્માતા મુસ્તાક નડિયાદવાલાની પત્ની અને બાળકો પાકિસ્તાનમાં ક્યાં છે એની જાણકારી મેળવવામાં પડી રહેલી મુશ્કેલી સમજાવવા બોમ્બે હાઈકોર્ટે વિદેશ મંત્રાલય અને ગૃહ ખાતાને જણાવ્યું છે. લાહોરમાં તેમની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આગામી સુનાવણી આઠમી ડિસેમ્બરે છે. ફિલ્મ નિર્માતા મુસ્તાક નડિયાદવાલાની પત્ની અને બે બાળકોની ભાળ મેળવવા અંગે પાકિસ્તાન વિદેશ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયનો સંપર્ક કરવામાં મુશ્કેલી કેમ પડી રહી છે એની સ્પષ્ટતા કરવા બોમ્બે હાઈકોર્ટે આપણા વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને જણાવ્યું છે.

ન્યાયમૂર્તિ રેવતી મોહિત દેરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે શુક્રવારે નડિયાદવાલાએ દાખલ કરેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. નડિયાદવાલાએ આરોપ કર્યો છે કે તેના નવ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રીને તેની પત્ની અને લાહોરમાં વસતા તેના વગદાર પરિવારે ગેરકાયદે અટકમાં રાખ્યા છે. અરજદારે એમ પણ જણાવ્યું છે કે મરિયમ પાકિસ્તાની નાગરિક છે અને તેની માતા બીમાર હોવાનું કારણ આપી 2020ના નવેમ્બરમાં બાળકોને લઈ પાકિસ્તાન ગઈ હતી. બાળકોને આપવામાં આવેલા વિઝા ઓક્ટોબર 2021માં સમાપ્ત થઈ ગયા હતા, પણ પિતાનું સ્વાસ્થ્ય સારું નહીં હોવાનું કારણ આપી તેણે રોકાણ લંબાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…