ઇન્ટરનેશનલ

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં હિંદુઓએ કરી કાર રેલી

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં લોકોની આસ્થા પર બિરાજમાન એવા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોમાં પણ આ મંદિરના ઉદ્ઘાટનને લઇને એવો જ ઉત્સાહ અને ઉમંગ છે. આ જ કારણ છે કે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકામાં એક મહિના સુધી તેની ઉજવણી કરવામાં આવશે. શનિવારે એક વિશાળ કાર રેલી સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. વોશિંગ્ટન ડીસીના ઉપનગરીય વિસ્તારોમાં આ કાર રેલી કાઢવામાં આવી હતી.

અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના ઘણા સભ્યો શનિવારે મેરીલેન્ડ નજીકના ફ્રેડરિક સિટીમાં શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા અને રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે કાર રેલી કાઢી હતી. અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ કહ્યું કે હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અમે અમેરિકામાં પણ આ ઐતિહાસિક અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 હિન્દુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

સાપાએ જણાવ્યું હતું કે ઉત્સવ દરમિયાન રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામની કથાઓ, ભગવાન રામની આરતી અને ભજનો પણ ગાવામાં આવશે. આ દરમિયાન અમેરિકામાં જન્મેલા બાળકોને ભગવાન રામના જીવન વિશે પણ જણાવવામાં આવશે. આ ઉજવણીના કો-ઓર્ડિનેટર અને સ્થાનિક તમિલ હિન્દુ નેતા પ્રેમ કુમાર સ્વામીનાથને કાર રેલી દરમિયાન તમિલ ભાષામાં ભગવાન રામનું ભજન ગાયું હતું અને 20 જાન્યુઆરીએ ઉજવણી માટે તમામ પરિવારોને આમંત્રણ પણ આપ્યું હતું.

કાર રેલીમાં હાજર અન્ય લોકોએ કન્નડ, તેલુગુ અને અન્ય ભારતીય ભાષાઓમાં ભગવાન શ્રી રામના મહત્વ વિશે પણ વાત કરી હતી. આ કાર રેલીનું આયોજન કૃષ્ણ ગુડીપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો. 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા