ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવવામાં અમેરિકા નિષ્ફળ થયું હોવાનો દાવો, ટ્રમ્પે આપ્યો જવાબ

ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ અમેરિકાઆ ઇરાનના પરમાણુ સ્થળો પર કરેલા હુમલાની અસર મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે. જેમાં હવે અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો, ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ પર કરેલો હુમલો સફળ થયો કે નિષ્ફળ થયો છે. જોકે, આ અંગે અમેરિકન મીડિયા સહિત અનેક મીડિયાએ અમેરિકા માટે મુશ્કેલી ઉભી કરી છે.
ટ્રમ્પે આ દાવાને નકારી કાઢ્યો
જેમાં મીડિયા અહેવાલ મુજબ ગત અઠવાડિયે ઈરાનના ત્રણ પરમાણુ સ્થાપનો પર અમેરિકન સૈન્યના હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમની વાસ્તવિક અને મહત્વપૂર્ણ વસ્તુનો નાશ કર્યો નથી. યુએસ હુમલાને કારણે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ફક્ત થોડા મહિના વિલંબિત થશે. જેમાં યુએસ ગુપ્તચરના પ્રારંભિક મૂલ્યાંકનમાં આ વાત પ્રકાશમાં આવી છે. જોકે, ટ્રમ્પે આ દાવાને નકારી કાઢ્યો છે.
આ મૂલ્યાંકન યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનની ગુપ્તચર શાખા, ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે તે ઈરાની પરમાણુ કેન્દ્રો પર બી-2 વિમાન દ્વારા કરવામાં આવેલા હુમલા પછી યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવેલા યુદ્ધ નુકસાનના મૂલ્યાંકન પર આધારિત છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓ સાથે મેળ ખાતા નથી
આ મૂલ્યાંકનના પ્રારંભિક તારણો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓ સાથે મેળ ખાતા નથી. ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે હુમલાઓએ ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી દીધી છે. રવિવારે સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પણ કહ્યું હતું કે આ હુમલા પછી ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે.
યુએસ હુમલા પૂર્વે સમૃદ્ધ યુરેનિયમ દૂર કરવામાં આવ્યું
જોકે, આ હુમલાનું મૂલ્યાંકન કરનારા બે લોકોએ કહ્યું કે ઈરાનનો સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર નાશ પામ્યો નથી. એક વ્યક્તિએ કહ્યું કે સેન્ટ્રીફ્યુજ મોટાભાગે અકબંધ હતા. એટલે કે તે બરાબર છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી અનુસાર યુએસ હુમલા પહેલા સ્થળોએથી સમૃદ્ધ યુરેનિયમ દૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…યુદ્ધવિરામ ભંગ થતા ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પર ભડક્યા! કહ્યું: ‘પાઇલટ્સને પાછા બોલાવો!’