કોરોના મુદ્દે WHO એ વ્યક્ત કરી ચિંતા, જાણો બીજું શું કહ્યું?

ન્યૂ યોર્કઃ દુનિયાભરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોવિડ-19 વધતા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ફેબ્રુઆરી 2025માં દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસના સંક્રમણમાં વધારો થયો છે. ડબલ્યુએચઓના આંકડા અનુસાર કોવિડ ટેસ્ટ પોઝિટિવિટી રેટ 11 ટકા સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 પછી સૌથી વધારે છે.
ડબલ્યુએચઓનું કહેવું છે કે કોરોના સંક્રમણમાં વધારો ખાસ કરીને ઈસ્ટર્ન મેડિટેરિનિયન, સાઉથ ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક ક્ષેત્રોમાં જોવા મળ્યો છે. 2025ની શરુઆતમાં કોરોના વેરિયન્ટ્સના ટ્રેન્ડમાં થોડો ફેરફાર થયો હતો. એલપી.8.1 વેરિયન્ટમાં ઘટાડો થયો છે, જ્યારે એનબી.1.8.1ને વેરિયન્ટ અંડર મોનિટરિંગ (દેખરેખ હેઠળ)ની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જેના કેસમાં વધારો થઈ રહ્યો છે. મે 2025માં આ વેરિયન્ટ દુનિયાભરમાં નોંધવવામાં આવેલા કુલ જીનોમિક સિક્વન્સીસના 107 ટકા બની ગયા છે.
WHO ના અહેવાલ અનુસાર હાલમાં તબક્કે વતર્માન કોરોનાનું સંક્રમણ ગયા વર્ષની સ્થિતિ પ્રતીત કરે છે. કોરોનામાં કોઈ સ્પષ્ટ મોસમી પેટર્ન પણ જોવા મળતી નથી. એટલું જ નહિ અમુક દેશોમાં હજુ પણ દેખરેખની પ્રણાલી મર્યાદિત છે, જે ચિંતાની બાબત છે.
WHO એ સભ્ય દેશોને અપીલ કરતા કહ્યું છે હાલમાં રસીકરણની પ્રકિયા ચાલુ રાખો. ઉપરાત, જોખમ આધારિત અને સંકલિત વ્યૂહરચના અનુસાર કોવિડની વ્યવસ્થાનું પાલન કરો. દરમિયાન ભારતમાં કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, બિહાર વગેરે રાજ્યનો સમાવેશ થાય છે. વધતા કેસ અંગે આરોગ્ય પ્રસાશન પણ એલર્ટ થઈ ગયું છે.