China એ નેપાળમાં પોતાના નાગરિકોને ચેતવ્યા, કહ્યું ભારતીય સીમાથી દૂર રહે, સમજો ડ્રેગનનો પ્લાન

બેઈજિંગઃ નેપાળ(Nepal)દ્વારા ભારતમાં દાણચોરી અને જાસૂસી કરી રહેલા ચીને(China)તેના નાગરિકોને ભારતીય (India)સરહદથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ભારતમાં ચીની દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની નાગરિકોએ વેપાર અને પ્રવાસ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સરહદી સંકેતોને સમજવા જોઈએ જેથી કરીને તેઓ ભૂલથી ભારતીય સરહદ પાર ન કરે. ચીની નાગરિકોએ અગાઉથી ભારતીય વિઝા મેળવવાના રહેશે. ચીની નાગરિકોએ ભારતીય અધિકારીઓ દ્વારા તેમના પાસપોર્ટ અને વિઝાની તપાસ કર્યા પછી જ બોર્ડર ચેક પોઇન્ટ દ્વારા ભારતમાં પ્રવેશ કરવો જોઈએ.
ચીને પોતાના નાગરિકોને આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે એક દિવસ પહેલા જ નેપાળ પોલીસે સોનાની (Gold Smuggling)દાણચોરીના આરોપમાં એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. આ ચીની નાગરિકની રાજધાની કાઠમંડુમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ચીની નાગરિકની ઓળખ શેરબ ગ્યાલ્મો ઉર્ફે સોનમ ગુરુંગ તરીકે થઈ છે. નેપાળ પોલીસના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ બુદ્ધા તીનચુલી વિસ્તારમાંથી 6 કિલો સોના સાથે સોનમની ધરપકડ કરી છે. તેની પાસેથી 48 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે.
ચીનના નાગરિકો ભારતમાં સોનાની દાણચોરી કરી રહ્યા છે
નેપાળ પોલીસે આ ચીની નાગરિક પાસેથી 3 મોબાઈલ ફોન અને નેપાળી નાગરિકતાનો દસ્તાવેજ પણ જપ્ત કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે સોનમ નેપાળમાં મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી સાથે પણ જોડાયેલી છે. જેમાં જુલાઈ 2023માં 60 કિલો 700 ગ્રામ સોનું ઝડપાયું હતું. તેને ચીનથી નેપાળ પહોંચાડવામાં આવ્યું હતું.
બે ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી
ભારત એક મોટું બજાર છે અને ચીનના દાણચોરો નેપાળ દ્વારા ગેરકાયદે રીતે સોનાની હેરફેર કરે છે. આમાં ઘણા ભારતીય નાગરિકો પણ સામેલ છે. બીજી ઘટનામાં, માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં બે ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
Also Read –