ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું મિશન મુલતવી: હવે આ તારીખે થશે લોન્ચ…

હ્યુસ્ટન: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) અને અન્ય અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) મોકલવા માટેનું એક્સિઓમ સ્પેસ(Axiom Space)નું મિશન 8 જૂનના રોજ લોન્ચ થવાનું હતું, હવે આ મિશનને મુલતવી રાખવામાં આવ્યું છે.
સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ અગાઉ 8 જૂને ફ્લોરિડાના કેનેડી સ્પેસ લોન્ચ થવાનું હતું, હવે આ મિશન બે દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ મિશન 10 જુનના રોજ લોન્ચ થશે. કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતના સમાનવ અવકાશ મિશન માટે તાલીમ પામેલા ભારતીય અવકાશયાત્રીઓની પ્રથમ ટીમના ભાગ છે.
આ અવકાશયાત્રીઓ પણ ISS પહોંચશે:
એક્સિઓમ-4 મિશનના મિશન પાઇલટ શુક્લા ઉપરાંત, અન્ય ક્રૂ સભ્યોમાં પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય છે, તે બંને તેમના દેશ તરફથી ISS પર જનારા પ્રથમ અવકાશ યાત્રી બનશે. યુએસ અવકાશયાત્રી પેગી વ્હિટસન એક્સિઓમ-4 મિશનના કમાન્ડર હશે.એક્સિઓમ-4 મિશન એક્સિઓમ સ્પેસ દ્વારા મોકલવામાં આવી રહ્યું છે, સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
મિશન દરમિયાન થશે અભ્યાસ:
ISS સાથે ડોક થયા પછી, અવકાશયાત્રીઓ 14 દિવસ સુધી ત્યાં વિતાવશે. જ્યાં તેઓ વિવિધ પ્રયોગો હાથ ધરશે. Ax-4ના અવકાશયાત્રીઓ ISS ખાતે તેમના રોકાણ દરમિયાન 31 દેશોના લગભગ 60 વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાશે. કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને બાયોટેકનોલોજી વિભાગ (DBT) વચ્ચેના સહયોગ હેઠળ નાસાની મદદથી વિકસાવવાના આવેલા સ્પેશીયલ ફૂડ સંબંધિત પ્રયોગો કરશે.
આપણ વાંચો : અંતરિક્ષમાં ભારત રચશે નવો અધ્યાય: આગામી મહિને સ્પેસ સ્ટેશન જશે શુભાંશુ શુક્લા…