ઇન્ટરનેશનલ

હિંસા વચ્ચે બલૂચિસ્તાનમાં આ મહિલા ગાંધીમાર્ગે સરકાર સામે ઉતરી

ઇસ્લામાબાદ: હાલ પાકિસ્તાનનું બલુચિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ બળવોનું કેન્દ્ર બન્યું છે. અહીં માત્ર સરકાર અને સેના જ નહીં પરંતુ પંજાબી મૂળના લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 26 ઓગસ્ટના રોજ પંજાબ-બલૂચિસ્તાન સરહદના મુસાખેલ જિલ્લામાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના સશસ્ત્ર માણસોએ 23 પંજાબીઓને ઠાર માર્યા હતા. બીએલએ આ પહેલા પણ આવા હુમલાઓમાં શામેલ રહી છે.

એક તરફ BLA બલૂચિસ્તાનના અધિકારોની માંગણીને લઈને હિંસા ચલાવી રહ્યું છે તો બીજી બાજુ ડૉ.મહેરાંગ બલોચ છે. બલોચ યાકજાહતી કમિટી (BYC)ના નેતા મેહરંગ પણ એક દાયકાથી પણ વધુ સમયથી તેના પ્રાંત બલૂચિસ્તાનના લોકોના અધિકારો માટે લડી રહ્યા છે, પરંતુ તેમની લડાઈ ગાંધીમાર્ગે છે. તેણી કહે છે કે અમે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ હિંસાની સખત નિંદા કરીએ છીએ, પછી ભલે તેનો આધાર કોઈ પણ હોય.

મેહરંગની આગેવાની હેઠળની BYC શાંતિપૂર્ણ વિરોધમાં માને છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રાંતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનની સરકાર અને સેના પર બલોચોને ગાયબ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. 2006થી 31 વર્ષીય મેહરંગ બલોચ લોકોના આ અપહરણનો વિરોધ કરી રહ્યા છે. મેહરંગના પિતા પણ 2011માં ગુમ થયા હતા, બાદમાં તેમની લાશ મળી આવી હતી.

આ પણ વાંચો : ‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..

2017માં જ્યારે તેનો ભાઈ ગાયબ થઈ ગયો ત્યારે મહેરાંગ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેનો ભાઈ એક વર્ષ પછી 2018માં પરિવારમાં પાછો મળ્યો હતો. મેહરંગને સતત ધમકીઓ મળતી રહી પરંતુ તે ગભરાઈ નહીં અને 2019માં તેણે ગુમ થયેલા લોકો માટે ઝુંબેશ વધારીને BYCની રચના કરી. ત્યારથી તે BYCના બેનર હેઠળ બલૂચ લોકોના મુદ્દા ઉઠાવી રહી છે.

ગાંધીવાદી રીતે લોકોને એક કરીને મેહરંગે વિશ્વભરમાં સન્માન અને પ્રશંસા મેળવી છે. પાકિસ્તાનના રૂઢિચુસ્ત મનાતા બલૂચિસ્તાનની એક મહિલા હોવા છતાં, તેણે બલૂચ લોકોને એક કર્યા છે તેમજ મહિલાઓને રસ્તા પર આવવા માટે પ્રેરિત કર્યા છે. મેહરંગ કહે છે, ‘મારા માટે, અમારા વિરોધનું સૌથી પ્રગતિશીલ પાસું એ છે કે યુવા કિશોરીઓથી લઈને તેમની માતાઓ-કાકીઓથી લઈને દાદીઓ સુધીની હજારો મહિલાઓ આ ચળવળમાં જોડાઈ છે.’

મેહરાંગ કહે છે કે, ‘2003થી અત્યાર સુધીમાં 50,000 બલોચનું અપહરણ કરવામાં આવ્યું છે જ્યારે 25,000 લોકોની ગેરકાયદેસર રીતે જ હત્યા કરી દેવામાં આવી છે. આ ખૂબ જ રફ આંકડાઓ છે અને તેનાથી પણ વધુ હોઈ શકે છે કારણ કે ડેટા એકત્ર કરવો પણ જોખમી બની ગયો છે. સરકાર તમામ પ્રકારના અત્યાચારો કરી રહી છે અને છેલ્લા 15 વર્ષમાં અમે અમારા નજીકના લોકોના ડઝનબંધ મૃતદેહો જોયા છે. મૃત્યુ હવે મને ડરતું નથી, હું લડી રહ્યો છું અને મારી લડાઈ અહિંસક રીતે ચાલુ રાખીશ.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…