ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સતાવી રહ્યો છે હત્યાનો ડર, નક્કી કર્યા ત્રણ ઉત્તરાધિકારીના નામ…

તહેરાન : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ઇરાનની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે હવે
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાની આશંકા પણ વધી છે. જેમાં પગલે આયાતુલ્લાહ અલી ખામેની હવે વિશ્વસનીય સહાયક દ્વારા તેમના કમાન્ડરો સાથે વાતચીત કરે છે અને ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે તેમને ટ્રેક કરવાનું મુશ્કેલ બન્યું છે. આ માહિતી ત્રણ ઈરાની અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે જેઓ તેમની કટોકટી યુદ્ધ યોજનાઓથી પરિચિત છે.
બંકરમાં સુરક્ષિત, લશ્કરી ઉત્તરાધિકાર માટે સંપૂર્ણ તૈયારીઓ
આ અંગે મળતી માહિતી મુજબ ખામેની એક બંકરમાં સુરક્ષિત રીતે છુપાયેલા છે અને તેમણે ઘણા લશ્કરી કમાન્ડરોના વિકલ્પો નિયુક્ત કર્યા છે જેથી ખાતરી કરી શકાય કે જો તેમના વિશ્વસનીય અધિકારીઓ માર્યા જાય તો તેમને તાત્કાલિક બદલી શકાય. આ અધિકારીઓએ એ પણ ખુલાસો કર્યો કે આયાતુલ્લાહ ખામેનીએ ત્રણ સર્વોચ્ચ નેતાઓના નામ પણ નક્કી કર્યા છે જે તેમના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી બની શકે છે.
ખામેનીએ ત્રણ ઉત્તરાધિકારીના નામ નક્કી કર્યા
આ યાદીમાં અલીરેઝા અરાફી અલી અસગર હેજાઝી, હાશિમ હુસૈની બુશહરી, અલી અકબર વેલાયતીના નામ શામેલ છે. આ નામોમાં ખાસ વાત એ છે કે તેમના પુત્ર મુજતબા ખામેનીનું નામ નથી. આ અગાઉ ખામેનીના પુત્રને તેમનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. આ પગલું તેમના ત્રણ દાયકા લાંબા શાસન પર આવી રહેલા સંકટનો સૌથી મોટો સંકેત માનવામાં આવે છે.
ઇઝરાયલી હુમલાઓની સૌથી વધુ અસર તેહરાનમાં
ગત શુક્રવારે ઇઝરાયલ દ્વારા શરૂ થયેલા હુમલાઓ પછી ખામેનીએ ઇસ્લામિક રિપબ્લિકને સુરક્ષિત રાખવા માટે ઘણા અસાધારણ પગલાં લીધાં છે. જોકે આ સંઘર્ષ ફક્ત એક અઠવાડિયા જૂનો છે. આ ઇઝરાયલી હુમલાઓને 1980 ના દાયકામાં ઇરાન-ઇરાક યુદ્ધ પછી ઇઝરાયલી હુમલાઓ પરનો સૌથી મોટો લશ્કરી હુમલો માનવામાં આવે છે. ઇરાનની રાજધાની તેહરાનમાં આ હુમલાઓની સૌથી વધુ અસર જોવા મળી છે.
આપણ વાંચો : ઈઝરાયલે એર સ્ટ્રાઈકમાં તબાહ કર્યું ઇરાન નૌકાદળનું મુખ્ય મથક, 950 ડ્રોન તોડી પાડયા…