Gandhinagar માં લગ્નના ચોથા દિવસે જ પત્નીએ કરી પતિની હત્યા, જાણો વિગતે…

ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગરમાં લગ્નના ચોથા દિવસે જ પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ યુવતી તેના પિતરાઈ ભાઈને પ્રેમ કરતી હતી. પરંતુ પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર નહોતા અને તેઓએ યુવતીના બીજે લગ્ન કરાવી દીધા. તેથી લગ્નના ચોથા દિવસે યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી.
આ પણ વાંચો : Ahmedabad માં ભાઈની હત્યાનો બદલો લેવા બે આરોપી પિસ્તોલ સાથે ઝડપાયા…
લગ્નના ચાર દિવસ બાદ જ અપહરણ કરવામાં આવ્યું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદના ભાવિક નામના યુવકનું લગ્નના ચાર દિવસ બાદ જ અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભાવિક તેની પત્નીને લેવા માટે તેના ઘરેથી સાસરે જઈ રહ્યો હતો ત્યારે તે સાસરે પહોંચ્યો ન હતો.ત્યારબાદ સસરાએ ભાવિકના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે આવ્યો નથી. જેની બાદ સસરા અને તેના પરિવારજનો ભાવિકને શોધવા નીકળ્યા હતા. સાસરિયાઓએ ભાવિકની શોધખોળ કરતાં તેનું એક્ટિવા જોવા મળ્યું હતું.
ઇનોવા કારમાં આવેલા ત્રણ લોકો ભાવિકને ઉપાડી ગયા હતા
જ્યારે નજીકમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ઇનોવા કારમાં આવેલા ત્રણ લોકો ભાવિકને ઉપાડી ગયા હતા. આ માહિતી ભાવિકના પરિવારને આપવામાં આવી હતી. જેની બાદ ભાવિકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લગ્નના ચાર દિવસ બાદ જ પતિનું અપહરણ થયું હતું. આથી પોલીસને પત્ની પર શંકા ગઈ.
જોકે, પોલીસે કેસની તપાસ અને પૂછપરછમાં તેની પત્ની પાયલ સામેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. કલોલના ડેપ્યુટી એસપી પી.ડી.મનવરે જણાવ્યું હતું કે, પોલીસે તેના પરિવારની ફરિયાદના આધારે ભાવિકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મળ્યો ન હતો.
પાયલ અને કલ્પેશે ભાવિકને મારવાનો પ્લાન બનાવ્યો હતો
ત્યારબાદ તેની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની શંકા વધી ગઈ હતી અને જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે પરણિતાએ કબૂલાત કરી હતી કે તે પિતરાઈ ભાઈને પ્રેમ કરતી હતી. પરંતુ પરિવારે તેના લગ્ન ભાવિક સાથે કરાવી દીધા. ત્યારબાદ પાયલ અને કલ્પેશે ભાવિકને મારવાનો પ્લાન બનાવ્યો હતો.
ભાવિકના એક્ટિવાને ટક્કર મારી હતી
લગ્નના ચોથા દિવસે ભાવિક તેના સાસરે જતો હતો ત્યારે પાયલે તેનું લોકેશન પૂછીને કલ્પેશને આપ્યું હતું. જેની બાદ કલ્પેશ તેના પરિવારના સભ્યો સાથે ઇનોવામાં ગયો હતો અને ભાવિકના એક્ટિવાને ટક્કર મારી હતી.જેના કારણે ભાવિક નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેઓએ તેનું અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો : રો-રો ફેરીમાથી પટકાયેલો યુવાન સંકી કે શાતીર.?! તેની તપાસમાં પોલીસ ધંધે લાગી!
પાયલની પણ પોલીસે અટકાયત કરી
કલ્પેશે જણાવ્યું કે તેને કારમાં બેસાડ્યા બાદ તરત જ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને પછી ભાવિકની લાશને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી જેથી તે મળી ન શકે. ભાવિકના અપહરણ અને હત્યાના ગુનામાં પોલીસે કલ્પેશ અને તેના બે સાગરિતોની ધરપકડ કરી છે અને પાયલની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે અને હવે તેણે બાકીનું જીવન જેલમાં જ પસાર કરવું પડશે.