થઈ જાઓ તૈયાર અંબાલાલ પછી હવામાન ખાતાએ પણ કરી આગાહી
અમદાવાદઃ હવામાન ખાતાના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી જ છે ત્યારે હવામાન ખાતા એ પણ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ વરસાદી માહોલ રહેશે તેમ જણાવ્યું છે. જેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગો તથા સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. 25મી અને 26મી સપ્ટેમ્બર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બોક્સ
આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત અને સૌરાષ્ટ્રમા વરસાદની અગાહી
હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ છે. આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની સંભાવના દર્શાવી છે.
આ સાથે 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે 26મીએ ભારે વરસાદની શક્યતાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે આ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.