આપણું ગુજરાત

હવામાન વિભાગની ‘ઠંડક’ આપતી આગાહી, ત્રણ દિવસ બાદ કાળઝાળ ગરમીથી મળશે છૂટકારો

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ચામડી દઝાડતી ગરમીથી લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં આ પરિસ્થિતી સર્જાઈ છે. લોકો હવે આ કાળઝાળ ગરમીથી છુટકારો મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આજે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે, હજી ગુજરાતમાં ત્રણ દિવસ અંગ દઝાડતી ગરમી સહન કરવી પડશે ત્યાર બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઇ શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે શુક્રવારે બપોરે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ વિસ્તારોમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમના જણાવ્યા મુજબ લઘત્તમ તાપમાન યથાવત રહેશે તેમા કોઇ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાકમાં 46 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે તે બાદના બે દિવસ તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ચોથા દિવસથી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ગુજરાતમાં પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આ 24 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદના બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુરુવારે અમદાવાદનો તાપમાનનો પારો 46.6 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આ 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં હજી રેડ એલર્ટ થશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અભિમન્યુ ચૈહાણે વધુમાં જણાવ્યુ છે કે, ગુરૂવારે ઉત્તર ગુજરાતના મહત્તમ ભાગોમાં 45થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાયુ છે. આ સાથે હીટવેવની આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા હીટવેવ જેમ કે દીવ, જૂનાગઢ, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ