આપણું ગુજરાત

Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….

ભાવનગર: ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં કૃષ્ણમૃગ અર્થાત કાળિયાર માટે આવેલુ એકમાત્ર નૈસર્ગિક નિવાસસ્થાન એવું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ હાલ વર્ષાઋતુમાં કાળિયારનો સંવનન કાળ હોય જેને લઈને આગામી 4 મહિના માટે બંધ રાખવામાં આવશે.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશનને લઈને મદદનિશ સંરક્ષકે મહિતી આપી હતી. વર્ષાઋતુનો ગાળો એ મોટાભાગના પ્રાણીઓમાં સંવનનનો કાળ હોય છે અને આ દરમિયાન તેમને કોઈપણ જાતની ખલેલ કે અડચણ ન પહોંચે તે હેતુથી બીજા રાષ્ટ્રીય ઉદ્યાનોની જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ તારીખ 16 જૂન 2024થી લઈને 15 ઓકટોબર સુધી બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ

ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ વિશ્વભરનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં કાળિયાર એટલે કે કૃષ્ણ મૃગની સૌથી મોટી વસ્તી વિચરણ કરતી જોવા મળે છે. જો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, ભારતીય વરુ, ખડમોર (લેસર ફલોરીગ્ન) અને પટ્ટાઈ જેવા વિલુપ્ત થવાની કગાર પર પહોંચી ગયેલા પ્રાણીઓ જોવા મળે છે. આમ આ પરિસરતંત્ર વિલુપ્તિનું જોખમ છે તેવી વન્ય પ્રાણી સંપદાનું સંરક્ષણ અને જતન કરે છે.

તો હવે ગુજરાતનો પ્રવાસ કરવાનું વિચારતા હોય તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હાલ સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ