ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ? | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ?

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્ય પ્રધાનને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ 3ની ભરતીમાં એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે એસસી-એસટી ઉમેદવારો માટે લાયકાત 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવાની રજૂઆત કરી હતી.

શું લખ્યું છે પત્રમાં

જશુભાઇએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-3ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી એસસી-એસટી કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ 40 ટકામાં 10 ટકાની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી હતી. પત્ર મુજબ, હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં, તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ SSC જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમકે SSC CHSL અને CGI વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ 30% છે.

આ સિવાય EWS અને OBC માટે 5%ની છૂટછાટ આપી 25% કરવામાં આવી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ, CCE માં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભારતીઓ એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે.

આ પણ વાંચો…ગુજરાત ભાજપમાં ફરી એકવાર જૂથવાદનો મુદ્દો ચર્ચામાં, પૂર્વ ધારાસભ્યનો પત્ર વાઈરલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button