ગુજરાતમાં સરદાર સરોવર ડેમ 91 ટકા ભરાયો, 123 ડેમ હાઈ એલર્ટ પર

ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના લીધે નદીઓ અને ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે. જેમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,79,20 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83. 87 ટકા જેટલો છે.
5598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાજ્યમાં ૧ જુ થી અત્યાર સુધીમાં 5598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે 1045 લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં 12 એન.ડી. આર.એફની અને 22 એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને 10 મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે.
આપણ વાંચો: ગુજરાતના દાંતા અને ખેડબ્રહ્મા પાસે નદીમાં ફસાયેલા 17 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું…