ગાંધીનગર

સરકારી હોસ્પિટલના ખાનગી વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરાયો

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ તજજ્ઞ- ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૪,૨૦૦ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પિડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન રૂ. ૩ હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. ૨ હજાર માનદ વેતન આપવામાં આવતું હતું.

આપણ વાંચો મોરબીને મળશે આધુનિક જેલ: 32 એકર જમીન ફાળવાઈ…

વધુમાં, તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને ૩ કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. ૮,૫૦૦ અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને રૂ. ૨,૭૦૦ આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૮,૫૦૦ મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button