સોમનાથ મંદિર ને Eat Right Place of Worship થી સર્ટિફાય કરવામાં આવ્યું

ગાંધીનગર : ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર ને ” Eat Right Place of Worship” સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ કુલ 47 મંદિરોને Eat Right Place of Worship તરીકે સર્ટિફાય કરવામાં આવેલ છે.
ખોરાકમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા
Eat Right Places of Worship (PoW) એ FSSAI ની એક પહેલ છે જે પૂજા સ્થળો (PoW) ને ખોરાક સલામતી અને સ્વચ્છતા અપનાવવા અને જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે તેનો ઉદ્દેશ્ય પૂજા સ્થળોમાં પ્રસાદ/ભોજન વગેરેમાં પીરસવામાં આવતા ખોરાકમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા અને જાગૃતિ લાવવાનો તથા “Food Safety and Standards-2006” અને તે અન્વયેના નિયમો અને રેગ્યુલેશનના પાલન સુનિશ્ચિત કરવાનો છે.
મંદિરો માટે FSSAI દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા જે તે મંદિર નું રજીસ્ટ્રેશન કરાવી, તેનું Pre-Audit કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં પ્રસાદ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને FoSTAC ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમનું ફરીથી ઓડિટ કરવામાં આવે છે અને ત્યારબાદ ખોરાકનું ગુણવતા નિશ્ચિત કર્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
સોમનાથ મંદિર 12 મહત્વના જ્યોતિર્લીંગ માંથી એક
સોમનાથ મંદિર ગુજરાતમાં ગીર સોમનાથ માં આવેલું દેશના 12 મહત્વના જ્યોતિર્લીંગ માંથી એક છે અને તેની મહત્વતા જોતા અને ત્યા દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓ ને સ્વચ્છ અને સલામત પ્રસાદ મળી રહે તે માટે સોમનાથ મંદિરનું થર્ડ પાર્ટી ઓડીટ એજન્સી દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ અને તેને Eat Right Place of Worship સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવેલ છે.
ભગવાનને ધરાવવા આવતો પ્રસાદ ગુણવતા યુક્ત મળી રહે
આમ, રાજ્યના મંદિરો માં ભગવાનને ધરાવવા આવતો પ્રસાદ ગુણવતા યુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અંગે કમિશનર ઓફ ફુડ સેફ્ટી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.