Top Newsગાંધીનગર

ગુજરાત સરકાર હાઈવે અને રેલવે ટ્રેક નજીક ગ્રીન કવર વધારશે

ગાંધીનગર: રાજ્યના પર્યાવરણ અને વન પ્રધાન અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, સરકારે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) દ્વારા રાષ્ટ્રીય અને સ્ટેટ હાઈવ તેમજ રેલવે ટ્રેકની આસપાસના ખાલી વિસ્તારોમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન ચલાવવાની યોજનાઓ તૈયાર કરી છે. ગાંધીનગરમાં પ્રધાને મ્યુનિસિપલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરો, ડેપ્યુટી મેયરો અને સ્થાયી સમિતિના અધ્યક્ષો તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટાયેલા પદાધિકારીઓને વિવિધ નાગરિક સંસ્થાઓમાં વાવેલા વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું, પ્રધાને કહ્યું કે રાજ્ય સરકાર ભવિષ્યમાં જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને રેલવે ટ્રેકની આસપાસના ખાલી વિસ્તારોમાં વૃક્ષો વાવવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે રાજ્યની હરિયાળી વધારવા માટે સરકાર સંયુક્ત પ્રયાસો કરી રહી છે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે પ્રધાને સદ્ભાવના જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરી હતી, જેમણે સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હાઈવેની આસપાસ વૃક્ષો વાવ્યા છે. તેમણે કહ્યું કે આ એનજીઓનો વૃક્ષોની સંભાળનો દર 100 ટકા છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો અભિગમ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનોથી અપનાવ્યો છે.રસાયણયુક્ત ખેતીથી જમીન અને માનવ બંનેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેના ઉપાયરૂપે વડા પ્રધાને પ્રાકૃતિક ખેતીનો અપનાવવાનો જે ખ્યાલ આપ્યો છે તે ભવિષ્યની પેઢીના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તથા જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બનશે.

આ પણ વાંચો…ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો વધુ એક મોટો નિર્ણય? જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button