સરકારી નોકરીમાં અનામત મુદ્દે માજી સૈનિકોનો વિરોધ: 9 દિવસના ધરણા બાદ કરી વિધાનસભા કૂચ | મુંબઈ સમાચાર

સરકારી નોકરીમાં અનામત મુદ્દે માજી સૈનિકોનો વિરોધ: 9 દિવસના ધરણા બાદ કરી વિધાનસભા કૂચ

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે.

સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. એમાં સોમવાર સુધી સરકાર પાસેથી જવાબ ન મળતાં મંગળવાર 5 ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા.

આપણ વાંચો: સરકારી શિક્ષકોની હાલત દાડિયા મજૂરોથી પણ ખરાબ! દિવસના માત્ર 300 રૂપિયામાં ભરતી

સવારથી સ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો

પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી કહ્યું હતું કે વિધાનસભા ઘેરાવ માટે ફક્ત સરકાર જવાબદાર રહેશે.

પોલીસે બેરિકેડિંગ તેમજ નાકાબંધી કરી હોવા છતાં માજી સૈનિકોએ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ દ્વારા રાખવામાં આવેલાં બેરિકેડિંગ સહિતનું હટાવીને માજી સૈનિકો વિધાનસભા તરફ વધી રહ્યા હતા.

આપણ વાંચો: સરકારી નોકરીની સુવર્ણ તક: ગુજરાતમાં ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી જાહેર, જાણો સંપૂર્ણ વિગત…

આ સમયે પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ જોઈને માજી સૈનિકોએ પોલીસની વાનને રોકી દઈને પોતાના સાથીદારોને છોડાવવાની પેરવી કરી હતી.

આ અંગે પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે કહ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી અમે ધરણાં પર બેઠા છીએ. જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોની અનામત છે અને અન્ય બીજા અન્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓનું ઓલરેડી નિયમ બનેલો છે છતાં પણ આ મુદ્દાઓનું નિયમોમાં પાલન જ નથી થતું.

એની અમલવારી માટે અહીં ધરણાં પર બેઠા છીએ. આજે 9 દિવસ થઈ ગયા પણ સરકારનો એકપણ પ્રતિનિધિ અહીં અમારી સાથે વાતચીત કરવા આવ્યો નથી. અમે સામેથી વારંવાર વાતચીત કરવા જઈએ છીએ, પણ કહેવાય કે એ ફાઈલ અધિકારી પાસે મોકલી દેવાય છે, તેથી સરકારને નમ્ર વિનંતી છે કે અમારી સાથે વાતચીત કરે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button