નવરાત્રિ પહેલા ચેતજો! ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટના ઇરાદે હુમલો, યુવકનું મોત, યુવતી ગંભીર | મુંબઈ સમાચાર
ગાંધીનગર

નવરાત્રિ પહેલા ચેતજો! ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટના ઇરાદે હુમલો, યુવકનું મોત, યુવતી ગંભીર

ગાંધીનગર: નવરાત્રીને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મોડી રાત સુધી શહેરના બહારના અને સૂમસામ વિસ્તારમાં ફરતા યુવાનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનો એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જો કે બંને મિત્રોએ પ્રતિકાર કરતાં યુવક પર હુમલો કરતાં તેનું મૃત્યુ હતું, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર વૈભવ મનવાણી (રહે. હાંસોલ, અમદાવાદ) તેની મહિલા મિત્ર સાથે રાતના સમયે ગાંધીનગર નજીકના અંબાપુર ગામ પાસે આવેલા નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને બંને પાસેથી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની સામે આ બંને મિત્રોએ પ્રતિકાર કરતાં શખ્સે હુમલો કરતાં યુવલ વૈભવનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ બનાવમાં હુમલો કર્યા બાદ શખ્સ લૂંટ કરીને નાસી ગયો હતો. પોલીસે આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે યુવતી હાલ બેભાન અવસ્થામાં હોવાથી હજુ હુમલાની વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસની ટીમે મૃતક યુવાન વૈભવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરી હતી, ટ્ર ઉપરાંત આસપાસના સ્થળ પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજની પણ તપાસ કરીને આરોપીને ઓળખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…મુંદરા તાલુકાના ભોરારા ગામની મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુંઃ પુત્રોના મોત, માતાનું રેસ્ક્યું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button