બનાસકાંઠા

અંબાજી મંદિરમાં બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં, જાણો શું છે કારણ

અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં બે મહિના સુધી શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ નહીં ધરાવી શકે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેવસ્થાન ટ્ર્સ્ટના નવા સમયપત્રક પ્રમાણે, સવારની આરતી 7 થી 7.30 સુધી રહેશે. દર્શન સવારે 7.30 થી 10.45 કલાક સુધી રહેશે. બપોરે 12.30 થી 1.00 સુધી રાજભોગ આરતી થશે. બપોરના દર્શન 1.00 થી 4.30 કલાક સુધી ચાલુ રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 દરમિયાન રહશે. રાત્રિના દર્શન 7.30 થી 9.00 સુધી કરી શકાશે.

આ નવો સમય આજે વૈશાખ સુદ – 3 (30 એપ્રિલ, 2025)થી અષાઢ સુદ-1 (26 જૂન, 2025) સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો અન્નકૂટ નહીં ધરાવી શકે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલા બાદ ગુજરાતના તીર્થસ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે. અંબાજી, દ્વારકા, સોમનાથ મંદિરની સુરક્ષા વધારવામાં આવી હતી. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દિવસભર દર્શન માટે પહોંચતા હોય છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે સતર્કતાના ભાગરૂપે ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો:  અંગ દઝાડતા તાપ વચ્ચે કચ્છમાં કોણ નવજાતને ખુલ્લા આકાશ નીચે છોડી ગયુ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button