મોટા મોટા આયોજનો પછી પણ તિરંગાની માગ ઘટી, કોને ફાયદો થયો?

અમદાવાદ: દેશમાં 77માં સ્વતંત્રતા દિવસને હવે એક દિવસ બાકી છે અને એક તરફ સરકારનું હર ઘર તીરંગા અભિયાન અભીયાન ચાલી રહ્યું છે. જો કે બીજી બાજુ ઉજવણીને લઈને બજારમાં કોઇ વિશેષ ઉત્સાહ નાથી જોવા મળી રહ્યો. જેના લીધે 75મા સ્વતંત્રતા પર્વની સરખામણીમાં આ વર્ષે ત્રિરંગા ધ્વજનું ઉત્પાદન લગભગ 80 ટકા ઘટ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજારમાં આ વર્ષે ત્રિરંગાનું ઉત્પાદન માત્ર 4 લાખથી 9 લાખ મીટરની વચ્ચે છે. જો કે બે વર્ષ પહેલા તે લગભગ 45 લાખ મીટર હતું. જે દર્શાવે છે સ્વતંત્રતા પર્વ પર જ તીરંગાના ઉત્પાદનમાં ઓછામાં ઓછું પાંચ ગણું ઓછું ઉત્પાદન થયું છે.
અમદાવાદના એક ઉત્પાદકે એક ખાનગી સમાચારપત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમે બે વર્ષ પહેલા 15 મી ઓગષ્ટની આસપાસ લગભગ 22 લાખ ધ્વજ વેંચ્યા હતા. જો કે આ વર્ષે તે આંકડો માંડ કરીને 7 લાખ જેટલા ધ્વજ સુધી પહોંચી શક્યો છે.” તેમણે આગળ કહ્યું હતું કે “આ વર્ષે ધ્વજ માટેના ઓર્ડર ખૂબ મોડેથી આવ્યા હતા. આ બાબત સરકારી, ખાનગી સંસ્થાઓ અને સામાન્ય જનતામાં ઉત્સાહનો રહેલો અભાવ દર્શાવે છે. તેથી અમે પણ મર્યાદિત માંગ મુજબ ખૂબ પાછળથી ઉત્પાદન શરૂ કર્યું, કારણ કે જે માલ નથી વેંચાતો તે સ્ટોક અમારા માટે ડેડ સ્ટોક બની જાય છે.”
સરકારનો જ હિસ્સો ઘટ્યો:
તીરંગાના વેંચાણને લઈને બજારના આ વલણ સાથે સહમત થતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની મહાજન સંકલન સમિતિના ભૂતપૂર્વ સભ્ય, અમિત ગંગવાણીએ જણાવ્યું હતું કે, “75મા પ્રથમ દિવસે, લગભગ 45 લાખ મીટર ફ્લેગ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જ્યારે તે ભાગ્યે જ હશે. આ વર્ષે લગભગ 9 લાખ મીટર.” નારોલમાં ફેબ્રિક ઉત્પાદક મહાવીર ટેક્સટાઈલના ડિરેક્ટર ગંગવાણીએ કહ્યું હતું કે “બે વર્ષ પહેલાં, ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં થતા કુલ ઉત્પાદનમાં ફ્લેગ ખરીદવામાં સરકારનો હિસ્સો લગભગ 75% હતો. આ વર્ષના સ્વતંત્રતા પર્વ માટે તે માંડ જ 30% આસપાસ છે.” બે વર્ષ પહેલાં, ખાનગી કંપનીઓનો હિસ્સો લગભગ 20% હતો, અને 5% સંસ્થાઓનો હિસ્સો હતો, આ વર્ષે આ હિસ્સો ધરખમ રીતે બદલાઈને ખાનગી કંપનીઓ માટે 60% અને સંસ્થાઓ માટે 10% થયો છે.
એક વેપારીના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા દિવસને આડે માત્ર એક રાત જ બાકી છે તેમ છતાં જૂના અમદાવાદના ટંકશાળ માર્કેટમાં કોઇ ખાસ રોશની દેખાઈ રહી નથી. જો કે 75માં સ્વતંત્રતા દિવસ પર તે બજાર દેશભક્તિની રોશનીથી ગુંજી ઊઠતું હતું. અને દરેક દુકાનમાં તેમની દુકાનની બહાર તિરંગા લહેરાતા હતા.