આપણું ગુજરાત

એસટી નિગમ હવે નિવૃત્ત ડ્રાઇવરની ભરતી કરી બસ ચલાવશે

યુવા ડ્રાઇવરોની પૂરી ભરતી થતી નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા નિવૃત્ત થયેલા ડ્રાઇવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. અંદાજે ૧૦૦૦ જેટલા નિવૃત્ત એસટી ડ્રાઇવરોની ભરતી કરવામાં આવશે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં ૩૦૦૦થી વધુ ડ્રાઈવરની ભરતી બહાર પાડી છે, જે પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી ત્યારે નિવૃત્ત થયેલા કર્મચારીને ભરતી કરી એસટી બસ ચલાવવામાં આવશે.
ગુજરાત એસટી નિગમના મુખ્ય આંકડાકીય અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વર્ષ ૨૦૨૩માં ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ૩૦૦૦થી વધુ ડ્રાઇવરની ભરતી કરવામાં આવનાર છે, જેમની પરીક્ષા લેવાઈ ગઈ છે. હાલમાં કંડક્ટરની સ્ક્રૂટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં એસટી નિગમમાંથી નિવૃત્ત થયેલા જે ડ્રાઇવરોની ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત બહાર પાડી છે તે ૧૧ મહિના અથવા નવા ડ્રાઇવરની ભરતી ન થાય તે સમય સુધી જ ડ્રાઇવર તરીકે નોકરી પર રાખવામાં આવશે. વિવિધ પ્રકારનાં ફિટનેસ સર્ટિફિકેટ અને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થતા ૬થી ૮ મહિના લાગે છે. હાલમાં ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સગવડતા માટે એસટી બસોમાં વધારો થઈ રહ્યો છે. ડ્રાઇવરોની ઘટ પૂરી કરવા માટે ડ્રાઇવરોની ભરતી કરવામાં આવે છે. જોકે નવા ડ્રાઇવરની ભરતી થતાંની સાથે જ આ ડ્રાઇવરોને છૂટા કરવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓની ભરતીમાં જે ડ્રાઇવર-કંડક્ટર ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી આજ દિન સુધી નિવૃત્ત થયેલા હોય તેમને લેવામાં આવનાર છે. તેઓને ૧૧ માસ માટે અથવા જે ડ્રાઇવરની ૬૨ વર્ષની મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધીના જ લેવામાં આવનાર છે. કરાર આધારિત આ ભરતી કરવામાં આવનાર છે, જેમાં શરતો મુજબ નવી ડ્રાઇવરની ભરતી પ્રક્રિયામાં ડ્રાઇવરોની નિમણૂક થતાની સાથે જ આ ડ્રાઇવરોને છૂટા કરવામાં આવશે. પ્રતિભા ડ્રાઇવરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત લેવામાં આવશે. ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન બાદ જ તેઓને નોકરી પર રાખવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?