સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા 1200 વીઘા કપાસનો પાક નાશ પામ્યો…

સુરેન્દ્રનગર: છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધોળીધજા ડેમના દરવાજા ખોલવામાં આવતા વઢવાણની ભોગાવો નદીમાં પાણીની સપાટી ભયજનક રીતે વહી રહી હતી, જેના પરિણામે નદી કિનારાના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.

આ જળબંબાકારના કારણે અંદાજે 1200 વીઘા જમીન પર ઊભો કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેનાથી ખેડૂતોને મોટી આર્થિક નુકસાની સહન કરવાના વારો આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ચુડા તાલુકામાં આવેલો વાંસળ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને, ઝીંઝાવદર, છત્તરિયાળા, વેળાવદર, રામદેવગઢ અને ગોખરવાળા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત, ધોળીધજા ડેમ 0.05 ફૂટના લેવલથી ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા આસપાસના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button