રાજકોટ

રાજકોટ શોકમગ્ન: પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે વેપાર-શાળાઓ બંધ રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા વિજયભાઇ રૂપાણીના અંતિમ સંસ્કાર આવતીકાલે 14 જૂનના રોજ, રાજકોટ ખાતે કરવામાં આવી શકે છે. રાજ્યનાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવતીકાલે અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા માટેનું એલાન કર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સે શહેરના તમામ વેપારીઓને આ બંધમાં જોડાઈને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અપીલ કરી હતી. તે ઉપરાંત રાજકોટ શાપર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા વેપાર ઉદ્યોગ જગતને બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટની 600 જેટલી શાળાઓ બંધ રહેશે
વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોક છે. ત્યારે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટની તમામ ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી આવતીકાલે રાજકોટની 600 જેટલી શાળાઓ બંધ રહેશે.

વિજયભાઈના બહેને કરાવ્યો DNA ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે વીમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચારની સી. આર. પાટીલ દ્વારા પૃષ્ટી થતાની સાથે જ કાર્યકરોને આઘાત લાગ્યો હતો અને તેમના સમર્થકો તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાન ખાતે ગઈકાલ બપોરથી જ ઉમટી પડયા હતા. આવતીકાલે સવારે રાજકોટ ખાતે વિજયભાઇ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. આવતીકાલે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી અમદાવાદ આવી પહોંચશે. હાલ વિજયભાઈના મૃતદેહની ઓળખ માટે તેમના બહેનના લોહીથી ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button