રાજકોટ

રાજકોટમાં કરોડોનો અંડરપાસ ઉદ્ઘાટન પહેલાં જ પાણીમાં! મનપા સ્ટોર્મ વોટર લાઈન નાખતા જ ભૂલી ગઈ…

રાજકોટ: શહેરના હોમી દસ્તુર માર્ગ પર ₹4 કરોડના ખર્ચે તૈયાર થયેલો અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા હતી, પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી છતી કરી દીધી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અંડરપાસમાં ઉદ્ઘાટન પહેલાં જ પાણી ભરાવા લાગ્યું હતું.

મનપાના કારણે લોકાર્પણની કામગીરી અટકી
મળતી વિગતો અનુસાર રાજકોટના એસ્ટ્રોન ચોકની પાછળની બાજુ ડો.દસ્તુર માર્ગ પર એસ્ટ્રોન નાળાને સમાંતર નિર્માણ કરવામાં આવેલા અંડરપાસનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ સમયે તેમાં સ્ટોર્મ વોટર લાઈનની પાઇપલાઇન નાખવાનું મનપાનું તંત્ર ભૂલી ગયું હોવાથી હવે લોકાર્પણની કામગીરી અટકી પડી છે. વળી મનપાએ તો પૂર્વે ૧૫ જૂને આ અંડરપાસના લોકાર્પણની જાહેરાત કરી હતી, પરંતુ સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી બાકી રહી જતા પહેલા વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયા હતા અને આથી હવે આ લોકાર્પણ અટકી પડ્યું છે.

મનપા સ્ટોર્મ વોટર લાઈન નાખતા જ ભૂલી ગઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર દરવર્ષે ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાની સમસ્યાને કારણે રેલવે તંત્રએ તકેદારી દાખવીને ડો.દસ્તુર માર્ગ અંડરપાસની અંદર ચેનલ બનાવી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન ઇન્સ્ટોલ કરી છે, પરંતુ અંડરપાસની રેલવેની હદ પૂર્ણ થાય ત્યાંથી આગળ સ્ટોર્મ વોટર લાઈન મનપાએ નાખવાની હોય છે. જો કે મનપા આ કામ કરવાનું ભૂલી જતા હવે આ અંડરપાસનું લોકાર્પણ અટકી પડઉ હોવાના અહેવાલો છે.

નાયબ કમિશનરે હાથ ખંખેરી લીધા
જો કે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એચ.આર.પટેલે અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાનો મામલે પોતાના હાથ ખંખેરી લીધા હતા. તેમણે કહ્યું હતું કે, “અંડરપાસની સુપરવિઝન, કન્સ્ટ્રકશનની સંપૂર્ણ જવાબદારી રેલવે વિભાગની છે. હજુ અંડરપાસ અમને સોંપાયો નથી. આ બાબત ધ્યાનમાં આવતા અમે વિઝીટમાં ગયા હતા પરંતુ હાલ કોઈ ઈશ્યુ નથી છતા સિટી ઈજનેરોને સૂચના આપવાંઆ આવી છે તે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી આગળ વધારશે.” જો કે આ મામલે તંત્રનો સીધો સંપર્ક થઈ શક્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button