રાજકોટ

મોબાઈલનો પાસવર્ડ બદલી રિક્ષાચાલક પિતા કામ પર ગયા ને 12 વર્ષના દીકરાએ…

રાજકોટઃ મોબાઈલને કારણે મારામારી કે આપઘાતના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. માતા-પિતા માટે ખૂબ પડકારજનક સ્થિતિ મોબાઈલને કારણે ઊભી થઈ ગઈ છે. આવી જ એક કરૂણ ઘટનામાં એક 12 વર્ષના કિશોરે જીવ દઈ દીધાનું જાણવા મળ્યું હતું.

રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા કિશોરને મોબાઈલની લત લાગી ગઈ હતી. રીક્ષા ચલાવતા પિતાએ દીકરાને ઠપકો આપ્યો હતો અને મોબાઈલનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. બાળકે માતા પાસેથી પાસવર્ડ રાખ્યો પણ માતાએ પણ ન આપ્યો, તેથી માઠું લાગતા કિશોરે આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બાળક સ્કૂલેથી ઘેર આવી મોબાઈલ લઈ બેસી જતો હતો. રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો.

આપણ વાચો: રાજ્યમાં સામુહિક આપઘાતની વધુ એક ઘટનાઃ રાજકોટમાં માતાએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ જીવન ટૂંકાવ્યું

પિતા બપોરે ઘરેથી બહાર ગયા એટલે દીકરાએ ફરી મોબાઈલ હાથમાં લીધો હતો. પાસવર્ડ બદલાયો હોવાથી મોબાઈલ ઑપન ન થતા તેમે માતા પાસેથી માગ્યો હતો. માતાએ પાસવર્ડ ભૂલી ગઈ તેમ કહેતા બાળકને માઠું લાગ્યું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. બે દીકરીના શ્રમિક પરિવારનો મોટો દીકરો આ રીતે મૃત્યુ પામતા મા-બાપ શોકમાં સરી પડયા હતા.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button