રાજકોટ

રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ, 55 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મોત

રાજકોટ: ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટમાં 55 વર્ષી આધેડને કોરોના ભરખી ગયા હોવાના સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ આધેડનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં પણ કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે, જે સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે.

સોમવારે, નવમી જૂનના રોજ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 55 વર્ષીય એક વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું. મૃતકને ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ હતી, જેના કારણે તેમની હાલત વધુ નાજુક બની. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 235 નવા કેસ નોંધાયા, જેનાથી એક્ટિવ કેસની સંખ્યા 1,109 થઈ છે. અમદાવાદમાં ગઈકાલે એક દિવસમાં 131 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો -‏‏‎ ભારતમાં કોરોના કેસોમાં ફરી ઉછાળો: XFG વેરિયન્ટના 163 કેસ, કેરળ સૌથી પ્રભાવિત

જણાવી દઈએ કે, રાજ્યમાં 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 1,076 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 106 દર્દીઓ સાજા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 6,491 થઈ છે. 2025માં અત્યાર સુધી 65 લોકોના મોત થયા છે, જ્યારે 6,861 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં વધતા કેસોને ધ્યાને લઈને સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button