રાજકોટની આ જાણીતી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટની આ જાણીતી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી

રાજકોટઃ શહેરમાં વધુ એક જાણીતી હોસ્પિટલને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)માંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સ કમિટી દ્વારા મુલાકાત લેવામાં આવી તે સમયે મળી આવેલી ગેરરીતિથી શાંતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમજ રૂપિયા 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો ખુલાસો થયો હતો. ઉપરાંત GPCBનું સર્ટિફિકેટ એક્સ્પાયર છતાં રીન્યુ માટે અરજી ન કર્યાનું સામે આવ્યું હતું. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ હતી. તેમજ જનરલ વોર્ડમાં એક્સ-રે મશીન મુકાયા હતા. આવી બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઘાયલ; બસ ડ્રાઇવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે પીએમ-જેએવાયમાંથી પૈસા કમાવવા માટે, કેટલાક દર્દીઓ પર બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરી હતી. જેના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતા. આ કૌભાંડ સામે આવ્યા બાદ પીએમજેએવાય અંતર્ગત સારવાર કરતી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો કાર્યવાહી કરવામાં આવે છે.

સંબંધિત લેખો

Back to top button